રાષ્ટ્રીય

દુનિયા પર વધુ એક મહામારીનું સંકટ તોળાઈ રહ્યું છે!

ચીનમાં ૐસ્ઁફનો કહેર વર્ત્યો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોસ્પિટલમાં લોકોની ભીડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વિશ્વભરમાં ૭૦ લાખથી વધુ લોકોના મોતનો કારણ બનેલો જીવલેણ કોવિડ -૧૯ મહામારી ફાટી નીકળ્યાનાં પાંચ વર્ષ પછી, ચીનમાં વધુ એક વાઇરસે કહેર મચાવ્યો છે. તેને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા ૐસ્ઁફ કહેવામાં આવે છે. આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવાં લક્ષણો જાેવા મળે છે. ચીનમાં ૐસ્ઁફ વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મોટાભાગે બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં આવી રહ્યાં છે. આનાથી કોવિડ-૧૯ પછીના બીજા સ્વાસ્થ્ય સંકટની ગંભીર ચિંતા ઊભી થઈ છે, જેના કારણે પડોશી દેશોને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા મજબૂર કર્યા છે. ગયા મહિને ચીને ન્યુમોનિયા સહિત શિયાળાના રોગો માટે મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી હતી. ચીનના આરોગ્ય અધિકારીઓ હાલમાં ૐસ્ઁફને કોવિડ-૧૯ વાઇરસની જેમ મહામારી માની રહ્યા નથી. ડ્રેગને ડિસેમ્બર ૨૦૨૪માં કહ્યું હતું કે તે આ રોગ સામે લડવા માટે પ્રોટોકોલ લગાવવા જઈ રહ્યો છે.

ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તે શ્વાસોચ્છવાસની તકલીફો ધરાવતા ફલૂના દર્દીઓના કેસોની જાણ કરવા, ચકાસણી કરવા અને હેન્ડલ કરવા માટે લેબોરેટરીઓ માટે એક પ્રક્રિયા લાગુ કરશે. એક સત્તાવાર નિવેદન દર્શાવે છે કે ૧૬ થી ૨૨ ડિસેમ્બરના સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. જીછઇજી-ર્ઝ્રફ-૨ (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) નામના હેન્ડલ પરથી ઠ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. ૐસ્ઁફ સિવાય, ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝ્‌મા ન્યુમોનિયા અને કોવિડ-૧૯ વાઇરસ સહિત અન્ય ઘણા વાઇરસ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. એક સોશિયલ મીડિયા હેન્ડલે એવો પણ અહેવાલ આપ્યો છે કે ચીનમાં બાળકોની હોસ્પિટલોમાં ન્યુમોનિયા અને ‘વ્હાઇટ લંગ’ના કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

ચીનના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જણાવ્યું હતું કે તે દેશમાં શ્વસન અને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોની બારીકાઈથી દેખરેખ રાખે છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (ૐસ્ઁફ) શું છે? જે વિષે જણાવીએ, હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (ૐસ્ઁફ) એ એક વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય ??છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં, ૐસ્ઁફ ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. ૐસ્ઁફ ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે? જે વિષે જણાવીએ, વાઇરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં ૐસ્ઁફ ચેપ વધુ સામાન્ય છે.

જ્યારે ૐસ્ઁફ અને જીછઇજી-ર્ઝ્રફ-૨ (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ માટે જવાબદાર વાઈરસ) અલગ-અલગ વાઇરલ સાથે સંબંધીત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાઇરસ મુખ્યત્વે માનવ શ્વસનતંત્રને નિશાન બનાવે છે, જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોવિડ-૧૯ની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્‌સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાઇરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાઇરસની જેમ, ૐસ્ઁફ પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. ૐસ્ઁફના સંક્રમણથી બચવા કઈ રીતે પ્રયોગો કરવા જે વિષે જણાવીએ, ૐસ્ઁફના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે.

હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જાેઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. હાલમાં, ૐસ્ઁફ માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાઇરલ સારવાર નથી. કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી. જાે કોઈ વ્યક્તિને ૐસ્ઁફ ચેપનાં લક્ષણો હોય, તો તેને પોતાને આઈસોલેટ કરવા અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. શું ૐસ્ઁફ એક નવી મહામારીનું સંકટ છે?જે વિષે જણાવીએ, જ્યારે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ અને અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન અન્ય મહામારી સામે લડી રહ્યું છે,

ત્યારે સંભવિત કટોકટીની સ્થિતિ વિશે આરોગ્ય અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ૐસ્ઁફ માટે કોઈ ચોક્કસ સારવાર અથવા વેક્સિન ઉપલબ્ધ નથી, વાઇરસ વિશે જાગૃતિ અને સાવચેતી તેના ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે. શું ભારત ૐસ્ઁફ સાથે લડવા તૈયાર છે? જે વિષે જણાવીએ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (દ્ગઝ્રડ્ઢઝ્ર) એ ભારતમાં માનવ મેટાપ્યુમોવાઇરસ (ૐસ્ઁફ)ના કોઈ કેસની પુષ્ટિ કરી નથી. દ્ગઝ્રડ્ઢઝ્રના ડિરેક્ટર ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે ૐસ્ઁફ સામાન્ય શરદીના વાઇરસ જેવું લાગે છે, જે બાળકો અને વૃદ્ધોમાં ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી, જેમ કે શરદી, ઉધરસ અને તાવ જેવાં લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો. તેમણે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી અને નિયમિત શરદી કે તાવ માટે દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ડો.ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી. હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જાે કે, સતર્કતા મહત્ત્વપૂર્ણ છે. નિષ્ણાતો સહમત છે કે ભારતમાં ૐસ્ઁફથી હાલમાં કોઈ તાત્કાલિક જાેખમ નથી.

Related Posts