દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અવાર નવાર તાલુકા ની ઉઠતી માંગ પછી પણ દામનગર હળહળતો અન્યાય કેમ ? સ્થાનિક સંગઠનો ગ્રામ્ય ના સરપંચો સામાજિક સંસ્થા ઓની માંગ પછી દામનગર ને નવા જાહેર થયેલ તાલુકા ઓમાં બાકાત રાખી ફરી એક વધુ અન્યાય કેમ ? દામનગર પંથક ની પ્રજા સાથે કેટલા વર્ષ વિશ્વાસ ઘાત કરાશે ? હવે દામનગર પંથક ની જનતા એ પણ જાગવા ની જરૂર જે નેતા ઓની આગળ પાછળ આગતા સ્વાગત કરી મોટા ભા બનાવી ફરતા સ્થાનિક નેતા ઓએ વિચારવું જોઈ એ દામનગર ની આટલી બધી અવગણના કરતા અને રાજ્ય સરકાર માં સીધું પ્રતિનિધિત્વ કરતા નેતા પોતા ને અવિચળ સમજી દામનગર ની ધોર ઉપેક્ષા ક્યાં સુધી સહન કરશે ? અનેક આંદોલનો માંગણી ઓ પછી ખાત્રી આપતા નાટકો કરી થાળી ના વાટકા કરતા આગેવાનો ને પડતા મુકો પ્રજા નું કામ ન કરે તેવા નેતા ઓને ધોઈ પીવા ના ? તાજેતર માં રાજ્ય સરકારે નવા ૧૭ ડિવિઝનો જાહેર કર્યા તેમાં દામનગર ને બાકાત રાખી આ પંથક ની જનતા ને વધુ એક વાર ફરી હળહળતો અન્યાય કર્યો છે જનતા એ હવે જાગવા ની જરૂર અને વામણા નેતા ઓની ખુશામત બંધ કરી કામ કરે તેને જ પ્રાધ્યાયન આપવું જોઈ એ નમો ના નામે કમો છૂટી શુ મેળવશો ? દામનગર પંથક તાલુકો હતો અને ફરી તાલુકો આપવા ની ખાત્રી ઓ બાદ છેતરપીડી યુક્ત રીતે તાલુકો ભાંગી ગામડું બનાવી દેનાર નેતા ઓની મેલી મુરાદ સામે ભારે નારાજગી સાથે કહેવું પડે છે કે વામણા દુરંદેશી વગર ના ભોટ નેતા ઓ જનતા નું શુ ભલું કરશે ?હવે તો જાગો
દામનગર ને ફરી એક વધુ અન્યાય રાજ્ય સરકારે જાહેર કરેલ નવા તાલુકા ઓમાં દામનગર પંથક બાકાત


















Recent Comments