અમરેલી

અમરેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ખાતે તા.૨૭ ફેબ્રુઆરીએ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ ભાવનગરના નિયંત્રણ હેઠળની અમરેલી સ્થિત કચેરી દ્વારા તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ, સરદારનગર, શેરી નં.૫ ગજેરાપરા, અમરેલી ખાતે યોજાનાર આ ભરતીમેળામાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેર અભ્યાસક્રમમાં ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસ કર્યો હોય તેવા ઈજનેર ભાગ લઈ શકશે.ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છકુ ઉમેદવારોએ NATS/SKILL INDIA/ MSDE/MHRD પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેર અભ્યાસક્રમમાં ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ થયાના વધુમાં વધુ ૨ વર્ષ સુધીનો સમયગાળો (વર્ષ-૨૦૨૨, વર્ષ-૨૦૨૩, વર્ષ-૨૦૨૪માં પાસ થયા ઉમેદવારોએ જ અરજી કરવી) થયો હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

અમરેલી જિલ્લાની પેટા વિભાગીય કચેરીમાં એપ્રેન્ટિસ તરીકેની નિમણૂક આપવા માટે આ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય આ અંગેની વધુ વિગતો GWSSB વેબસાઇટ અને WS પોર્ટલ પરથી મેળવી શકાશે, તેમ અમરેલી જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ, ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts