રાષ્ટ્રીય

મણિપુરના ચુરાચંદપુરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત

મણિપુર પોલીસ મીડિયા ને જણાવ્યું હતું કે, ચુરાચંદપુર જિલ્લામાં સોમવારે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ૬૦ વર્ષીય મહિલા સહિત ઓછામાં ઓછા ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જિલ્લાના મોંગજાંગ ગામ નજીક બપોરે ૨ વાગ્યાની આસપાસ જ્યારે પીડિતો કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે હુમલો થયો.
મોંગજાંગ ચુરાચંદપુર શહેરથી લગભગ ૭ કિમી દૂર છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે તેમને ખૂબ જ દૂરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલયના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે પીડિતોની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળેથી ૧૨ થી વધુ ખાલી ગોળા મળી આવ્યા છે. હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પોલીસ અને વધારાના સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.

Related Posts