સાવરકુંડલા રેલવે સ્ટેશન સામે ખાદી કાર્યાલય કેમ્પસમાં વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે એક સાથે બે લૅપ્રોસ્કોપિક ઓપરેશન એક જ સત્રમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી અતિ આધુનિક તબીબી અભિગમની સાબિતી આપી હતી તબીબી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક મહિલા દર્દીને પિતાશયમાં 15 એમ.એમ.ની પથરી અને સાથે સાથે ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠ હતી જેને લીધે મહિલાને માસિકનો પ્રવાહ પણ વધારે હતો આ દર્દીને લૅપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમિ પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન અને લૅપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમિ ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન એવા બે અલગ અલગ ઓપરેશનની જરૂરિયાત હતી.
સામાન્ય રીતે આ બંને ઓપરેશન અલગ અલગ કરવામાં આવતા હોય છે પરંતુ આરોગ્ય મંદિરની ડોક્ટર ઓની ટીમ દર્દીનારાયણ ને ઓછામાં ઓછી તકલીફ સાથે ઉચ્ચતમ સારવાર કઈ રીતે મળે તે માટેના નિરંતર પ્રયાસો માં સતત કાર્યરત હોય છે તે અંતર્ગત આરોગ્ય મંદિરના સુપ્રસિદ્ધ જનરલ સર્જન ડો. પ્રકાશ પટેલ તથા અહીંના કુશળ ગાયનેકોલોજિસ્ટ ડો. હેતવી પટેલ બંને ડોક્ટરોએ મંત્રણા કરી દર્દીને સમજાવી એક જ ઓપરેશન સત્રમાં બે મુખ્ય લૅપ્રોસ્કોપિક ઓપરેશનો એકસાથે સફળતાપૂર્વક પાર પાડયા હતા જે બાબતે તબીબી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ ઓપરેશન દરમિયાન આરોગ્ય મંદિરની સર્જીકલ ટીમ તથા એનેસ્થેસિયા ટીમ નો પણ ખૂબ મોટો ફાળો રહ્યો હતો બંને ઓપરેશન અલગ અલગ પણ કરી શકાય પરંતુ એક સાથે કરવાની પદ્ધતિ વધુ ફાયદાકારક સાબિત થઈ છે બંને શસ્ત્રક્રિયાઓ એક જ વખતે થવાના કારણે દર્દીને બે અલગ અલગ ઓપરેશન કરાવવાની જરૂરિયાત ન રહી એનસ્થેશિયાનો એક વખત જ ઉપયોગ કરાયો, અને સારવારની કુલ પ્રક્રિયા ઝડપી અને અસરકારક બની હતી.
આ બંને ઓપરેશનો માટે દર્દી માટે કેટલાં ફાયદા થશે ઓછી તકલીફ એક જ ઓપરેશન થવાથી બે વાર સારવાર લેવાની જરૂર ન પડી, તીવ્ર પીડા અને જોખમ ઓછું લૅપ્રોસ્કોપિક પદ્ધતિને કારણે દર્દીને ઓછી પીડા થાય છે અને મોટી કટ લગાવવાની જરૂરિયાત ન રહે, જલદી સાજા થવાની શક્યતા: હૉસ્પિટલમાં ઓછા દિવસો માટે રહેવું પડે છે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા,અતિ આધુનિક અને શ્રેષ્ઠ તબીબી સેવા માટે જાણીતું છે. અહીં કુશળ અને અનુભવી તબીબી સ્ટાફ તથા આધુનિક તબીબી સાધનોની ઉપલબ્ધિ હોવાથી દર્દીઓ માટે ઉત્તમ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ સતત નવી તબીબી તકનીકો અપનાવી રહી છે જેથી દર્દીઓને શ્રેષ્ઠ અને નિશુલ્ક સારવાર મળી રહે આ મહિલા દર્દીએ પણ ઝડપી સાજા થવાનો અનુભવ કર્યો આવનારા સમયમાં પણ હોસ્પિટલ નિરંતર નવી તબીબી સિદ્ધિઓ હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને વધુને વધુ દર્દી નારાયણ ને આરોગ્ય સેવાનો લાભ વિનમ્રતાપૂર્વક આપવા માટે સતત કાર્યરત રહેશે તેવું અહીંના કુશળ વહીવટકર્તા મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Recent Comments