બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સાથેના વિવાદને કારણે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા અતુલે ૨૪ પાનાની સુસાઈડ નોટ અને એક વીડિયો જાહેર કર્યો હતો. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી લોકો, અતુલની પત્ની વિરુદ્ધ કડક કાનુની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરી હતી. જે બાદ હવે પુરુષોની ઉત્પીડન અને દહેજ કાયદાના દુરુપયોગ સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. કલમ ૩૨ હેઠળ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં પુરૂષોની સતામણી અને દહેજ કાયદાના દુરુપયોગ વિશે વાત કરવામાં આવી છે. અરજીમાં પરિણીત પુરૂષોના રક્ષણની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે. અરજીમાં પતિ અને તેના પરિવારના સભ્યોની હેરાનગતિ રોકવા માટે સુપ્રીમ કોર્ટના બે ર્નિણયો ટાંકવામાં આવ્યા હતા. ટીપ્પણીઓ પર વિચાર કરીને તેનો અમલ કરવા આદેશ આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિવૃત્ત ન્યાયાધીશો, વકીલો અને ન્યાયશાસ્ત્રીઓની નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં લગ્નની નોંધણીની સાથે લગ્ન વખતે આપવામાં આવેલા પૈસા, વસ્તુઓ કે ભેટની યાદી દર્શાવતી એફિડેવિટનો રેકોર્ડ પણ રજિસ્ટ્રેશન સાથે રાખવામાં આવશે. આ માટે સુચના જાહેર કરવા માંગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આજે દહેજ ઉત્પીડન કાયદાનો ઉપયોગ પતિ અને તેના પરિવારને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવે છે. આ સાથે તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે દહેજની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આ ખૂબ જ ભાગ્યે જ થાય છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ દરેક નાની-નાની વાત પર આ કાયદાનો ઉપયોગ કરે છે. જેના કારણે આજે દેશમાં મોટાભાગના કેસ ખોટા નોંધાયેલા છે. દહેજના કેસમાં પુરુષો પર ખોટા કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ કાયદાઓમાં સમયસર સુધારાની માંગ ઉઠી છે. સુપ્રીમ કોર્ટે ૧૦ ડિસેમ્બરના રોજ તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે ૈંઁઝ્રની કલમ ૩૦૬ હેઠળ આરોપ સાબિત કરવા માટે તે એક કાનૂની સિદ્ધાંત છે, કે ઉશ્કેરવાના સ્પષ્ટ ઇરાદા માટે આરોપીની હાજરી જરૂરી છે. આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ આરોપીને દોષિત ઠેરવવા માટે માત્ર ઉત્પીડન જ પૂરતું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફરિયાદ પક્ષે આરોપીની સક્રિય અથવા સીધી કાર્યવાહી સાબિત કરવી પડશે, જેના કારણે મૃતકે પોતાનો જીવ લીધો. બેન્ચે કહ્યું કે મેન્સ રીઆનું કારણ માત્ર અનુમાનિત કરી શકાય નહીં અને તે સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેવું હોવું જાેઈએ. બેન્ચે કહ્યું કે આ વિના કાયદા હેઠળ ઉશ્કેરણી સાબિત કરવાની જરૂરિયાત પૂરી થતી નથી.
Recent Comments