ખેતીમાં ” ભાગિયા” એટલે શું?
સરકારી રાહતમાં “ભાગિયાઓના ” ભાગ” ખરા?
ખેતીમાં આજે ” છેવાડાના માણસ” તરીકે ” ભાગીયા” કે “ખેડૂત”?( જમીન માલિક)
” ભાગીયા” અહીંના ” મતદારો” નહીં હોય એટલે તેમનું ” હિતરક્ષણ” રાજકીય પક્ષો/ નેતાઓ કરશે ખરા?
ખરેખર ” ભાગીયાઓને” કારણે જ સૌરાષ્ટ્રની ખેતી ટકી રહી છે . એ સાચું છે?
સૌરાષ્ટ્રના ખેડૂતો તો માત્ર ” જમીનદાર” કે ” રોકાણકાર” ની ભૂમિકા જ ભજવે છે.શું એ સાચું છે?
જંગલી જનાવરો જેમના સંતાનોને કાચે કાચા ખાઇ ગયા તે ” ભાગીયા ” કે “ખેડૂતોના” સંતાનો?
શું ” ભાગીયાને” રોજે રોજ મજૂરી ચૂકવાઈ છે? આજે ધોવાણ થયેલ પાકની મજૂરી “ભાગીયા” ચૂકવાઈ ગઈ હશે?
બોલો લ્યો ?
આવું વિચાર્યું હશે / છે? કોઈ એ? મને આવું પૂછવા વાળા મળ્યા!બોલો.
ખેડૂતો હારોહાર ” ભાગીયાઓનું” હિત રક્ષણ નહીં કરાય તો ” દૂરગામી અસરો પડશે”?
પછી ગોતવા ગયે ” ભાગિયા “/ ” ખેત મજૂરો” મળશે નહીં.અને” મૂકી દીધી” આનાથી ખેતી હવે થાશે નહીં.
સા.કુ.ના જ એક ગામમાં તો ગામની વસ્તી કરતા વધુ ” ભાગીયા ” ( પર પ્રાંતીય મજૂરો)ની વસ્તી હોવાનું મીડિયામાં આવેલ.પોલીસે તેમનું નામાંકન વગેરે પણ કરેલ! મીડિયા રિપોર્ટ.
આ સંજોગોમાં ખેડૂત હિત રક્ષણ સાથે ” ભાગીયા” હિત રક્ષણ કરવું જરૂરી ખરું?
આમાં મને તો ક્યાંય ” ટપ્પા ” પડે નહીં.
કેતા હો તો હું તો જાણ કરી દઉં!



















Recent Comments