ભાવનગર

ભાવનગર શહેરનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૯ ઓક્ટોબરના રોજ યોજાશે

ભાવનગર શહેરની જનતા માટે‌ તા. ૨૯/૧૦/૨૦૨૫ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર
કચેરી, બી.પી.ટી.આઈ. સામે વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના
પ્રશ્નોના નિકાલ માટે નાયબ વન સંરક્ષકશ્રી, (નોર્મલ વિભાગ), ભાવનગરના અધ્યક્ષસ્થાને યોજાશે.
ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રીઓ પાસેથી તા.૧૩/૧૦/૨૦૨૫ સુધીમાં વિવિધ
કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે
ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદારશ્રી ભાવનગરને પુરાવા સાથે
અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબધિત વિભાગોએ
જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી
રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ સીટી મામલતદારશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts