ભાવનગર

ભાવનગર સાયકલ કલબ દ્વારા પ્રથમ વખત જગન્નાથ રથયાત્રામાં સાયકલ જાગૃતિ માટેનોવિશિષ્ટ ટેબલો રજૂ કરવામાં આવ્યો

જગન્નાથ રથયાત્રા કમિટી દ્વારા આયોજિત રથયાત્રામાં ભાવનગર સાયકલ કલબ દ્વારા સાયકલિંગ અંગેની
જાગૃતિ માટે સૌ પ્રથમ વાર વિશિષ્ટ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો.
જેમાં રથયાત્રાના રૂટમાં હજારોની સંખ્યામાં લોકોએ આ ટેબલોની મુલાકાત લીધી છે.આ વખતની રથયાત્રામાં
સાયકલ ક્લબનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.
આ ટેબ્લોના માધ્યમથી ભાવનગરની જનતાને સાયકલિંગના લાભો અને તંદુરસ્ત જીવનશૈલી તરફ જાગૃત
કરવા માટે તથા નિયમિત ઓછામાં ઓછું 10 km સાયકલિંગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું‌ હતું.
જેમા સાયકલ ચલાવવાના શારીરિક, માનસિક અને પર્યાવરણીય લાભો વિશે જાણકારી આપવામાં આવશે,
જેમાં સાયકલ ચલાવો – ‘તંદુરસ્ત રહો’ નો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો‌‌ હતો.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને રજૂ કરતું તેમજ ગુજરાતના
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મેદસ્વિતા મુકત ગુજરાત સૂત્રને સાકાર કરતો આ ટેબલો રજૂ થયો હતો, જેમાં
લોકોને હેલ્થની જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમ ભાવનગર સાયકલ કલબના સંસ્થાપક, અને ફીટ
ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ
બજાવતા કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું,
આજે તંદુરસ્ત જીવનશૈલી જ સમયની માંગ છે. સાયકલ ચલાવવાથી નહી માત્ર સ્વાસ્થ્ય સારું રહે છે પણ
પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
આ અભિયાન દ્વારા વધુમાં વધુ લોકો સાયકલ ચલાવવાની પ્રવૃત્તિ તરફ આગળ વધે અને શહેરમાં સ્વચ્છ
અને ફિટ ઇન્ડિયા મિશનને આગળ વધારવાનો સંકલ્પ છે.

Related Posts