ભાવનગર

ભાવનગરનાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી સહિતના અધિકારીઓએ સ્વચ્છતાના શપથ લીધા

આગામી તા.૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર
દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ
અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ સહિતના અમલીકરણ અધિકારીઓએ સ્વચ્છતા
જાળવવાના સામૂહિક શપથ લીધાં હતાં.

Related Posts