શિહોરના ઉસરડ ગામમાં પ.પુ.સંત શિરોમણી શ્રી જયારામબાપા ની ૧૧૧મી પુણ્યતિથી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
સંસ્થા તથા સ્થાનિક આશાવર્કર સોનલબહેન મોરીના પ્રયાસોથી ૮૧ બોટલ લોહી એકઠું કરાયું. આશાવર્કર સોનલબહેન મોરીના પ્રયાસો બદલ સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગર દ્વારા તમામને સન્માનિત કરાયા. ભાવનગરના શિહોર તાલુકાનું ઉસરડ ગામે જ્યાં પ.પુ.સંત શિરોમણી જાયારામબાપુ થઇ ગયા જેમણે ધર્મ, સંસ્કૃતિ, ભક્તિથી અનેકના જીવનમાં પરિવર્તન લાવ્યા. પુ. જાયારામબાપાની ૧૧૧ મી પુણ્યતિથી નિમિતે તાજેતરમાં અનેક સેવાકીય, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ભાવનગર બ્લડ બેંક દ્વારા જાયારામબાપાની સંસ્થાના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં ૮૧ બોટલ લોહી રક્તદાતા તરફથી મળેલ. આકાર્ય્માં આયોજન અને સક્રિય સહયોગ બદલ સ્થાનિક આશાબહેન, સોનલબહેન સહિતનાનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments