અમરેલી દુરસંચાર વિભાગ પોતાના ગ્રાહકો માટે વારંવાર થતી ફરિયાદોના નિવારણ તથા સંતોષકારક સેવા માટે સતત પ્રયત્નશીલ છે. આમ છતાં સાવરકુંડલા અને રાજુલાના કોઈપણ ગ્રાહકની ફરિયાદ હોય અને સબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોય તો તેવા ટેલિફોન ધારકો માટે ખાસ ટેલિફોન અદાલતનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ ૨૨/૨/૨૦૨૧ ના રોજ સાવરકુંડલા ટેલિફોન ઓફિસ ખાતે અને ૦૨/૦૩/૨૦૨૧ ના રોજ રાજુલા ટેલિફોન ઓફિસ ખાતે રાખવામાં આવ્યો છે. ટેલિફોન ધારકોએ સાવરકુંડલા માટે ૨૦/૨/૨૦૨૧ સુધીમાં અને રાજુલા માટે ૨૭/૦૨/૨૦૨૧ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ અરજીઓ સાદા કવરમાં ટેલિફોન અદાલત ૨૦૨૦-૨૦૨૧ લખીને મોકલી આપવા BSNL તરફથી મળેલ યાદીમાં જણાવાયું છે.
BSNL દ્વારા સાવરકુંડલા અને રાજુલામાં ફરિયાદ નિવારણ માટે ટેલિફોન અદાલતનું આયોજન

Recent Comments