મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત
દેશના યુવાનો પાસે જે કૌશલ્ય અને હુનર છે તેને એ દિશામાં આગળ વધવા માટેની તક : કેન્દ્રીય રાજ્ય
મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયા
આવનારા ભવિષ્યમાં ડિગ્રીની સાથે સ્કીલનું વધુ મહત્ત્વ રહેશે: જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર વિભાના કેબિનેટ
મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ઈ-લોકાર્પણ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે યોજાયો હતો.
આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાએ આઈ. ટી. આઈ. ના સ્ટાફને લોકાર્પણ થયેલ નવા
બિલ્ડિંગ માટે અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં દેશના યુવાનો
પાસે જે કૌશલ્ય અને હુનર છે, તેને એ દિશામાં આગળ વધવા માટેની તક મળે છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાનોના કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે. યુવાનો પોતાની સ્કિલથી
જોબશીકર નહીં પરંતુ જોબગીવર બની રહ્યા છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે આજે મહિલાઓ પણ અગ્રેસર રહી છે. બધાના
સહયોગથી દેશ ત્રીજી અર્થ વ્યવસ્થા બનવા તરફ મક્કમ ગતિ થી આગળ વધી રહ્યો છે.
કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આવનાર સમય ટેકનોલોજીનો છે ત્યારે સ્કિલ મુજબ
આઈ.ટી.આઈ. માં પણ નવા કોર્ષનો સમયાંતરે ઉમેરો થઈ રહ્યો છે. આજે ૧૫૪ થી વધુ કોર્ષ રાજ્યની વિવિધ આઈ.
ટી. આઈ.માં ચાલે છે. જેનો ૧.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ તાલીમ દર વર્ષે મેળવી રહ્યા છે. વિકસિત ભારત ૨૦૪૭
ની સંકલ્પના હેઠળ કેવા પ્રકારના કોર્ષની જરૂરિયાત જણાશે એ દિશામાં ટેકનોલીજી સાથેના કોર્ષ તૈયાર કરવામાં
આવ્યા છે. જેમ કે સોલર, ડ્રોન રીપેરિંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ કોર્ષ ઉર્જા વિભાગના છે. તાલીમની સાથે જ રોજગારી
પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા છે.
આ તકે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું કે, આવનારા દિવસોમાં સ્કિલનું મહત્ત્વ વધુ
રહેશે ત્યારે આઇ. ટી. આઈ. અભ્યાસ પછી અનેક ઇન્ડસ્ટ્રીઝમાં તક મળશે. અત્યાધુનિક બિલ્ડિંગમાં લેબ સહિતની
સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે તેનો સવિશેષ ઉપયોગ કરવા તેમણે જણાવ્યું હતું.
મેયરશ્રી ભરતભાઈ બારડ અને ધારાસભ્ય શ્રીમતી સેજલબેન રાજીવકુમાર પંડયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું
હતું. સ્વાગત પ્રવચન પ્રાદેશિક કચેરી રાજકોટના નાયબ નિયામક શ્રી કે. બી. કણઝારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લામાં કૌશલ્ય તાલીમ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આઈ.ટી.આઈ ભાવનગરના આચાર્ય
વર્ગ-૧ શ્રી તપનકુમાર વ્યાસ અને તેમની ટીમને પ્રમાણપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
નવનિર્મિત મકાનના લોકાર્પણની સાથે કૌશલ્ય તાલીમના હુન્નરને પ્રદર્શિત કરતી થીમ આધારિત સ્કીલ ડ્રામા
રજુ કરી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ અને તેના થકી રોજગારી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થામાં પ્રવેશ
માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે આઈ.ટી.આઈ ના સ્ટાફમિત્રો તથા ૧૮ વર્ષથી ઉપરની વય ધરાવતા તાલીમાર્થીઓ દ્વારા
સ્વેચ્છાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.
નવનિર્મિત બિલ્ડીંગના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વધુમાં આઈ.ટી.આઈ. ખાતે વિવિધ
વ્યવસાયોના વર્કશોપમાં તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ચાર્ટ, મોડેલ્સ અને પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામા
આવેલ હતું. જેમાં વર્કિંગ મોડેલ્સ અને ફાયર કેનન ધ્યાનાકર્ષક રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ફાયર કેનનમાં ફાયર
બ્લાસ્ટની પ્રસ્તુતિ આશ્ચર્યચકિત કરી દેનાર હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન, સ્ટેજ પરની પ્રસ્તુતિ, તાલીમી ગુણવત્તા તથા જીલ્લાના લક્ષ્યાંકોની ૧૦૦% કરતા
વધુ સિદ્ધિ કરવા બાબતે જિલ્લા કલેકટરશ્રી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. સ્ટાફ તથા
તાલીમાર્થીઓના હકારાત્મક અને સમપર્ણનો અભિગમ સંસ્થાના આચાર્યશ્રી તપનકુમાર વ્યાસની વહીવટી કુશળતા
અને સફળ નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.
સ્થાનિક કક્ષાએ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, ભાવનગર
એન્જી. એસોસીએશનના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, CSMSRI ના COA શ્રી બિરંચી સારંગ સહિતના મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા હતા.
કૌશિક શીશાંગીયા
સમાચાર સંખ્યા : ૨૭૭
શિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ
માહિતી બ્યુરો, ભાવનગર
જાનમાલની સલામતી ખાતર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલા
અધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામાં ફરમાવ્યું છે જેમાં શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ
ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર
સુધીના વિસ્તારમાં આગામી તા. ૦૧-૦૫-૨૦૨૫ થી તા. ૩૦-૦૫-૨૦૨૫ સુધી કોઈ પણ શખ્સે જવુ નહીં તેમજ ઢોરોને
સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં.
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈ પણ
હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની
કલમ-૧૩૧ મુજબ સજા થશે.
ક્રિષ્ના ધોબી
સમાચાર સંખ્યા : ૨૭૮
ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ ક્ષતિના લીધે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી તા.૨૮
એપ્રિલ થી તા.૧ મે સુધી બંધ રહેશે
માહિતી બ્યુરો, ભાવનગર
ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ ક્ષતિના કારણોસર તા.૨૮-૦૪-૨૦૨૫ થી તા.૦૧-૦૫-૨૦૨૫
દરમિયાન ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. આ સમય દરમિયાન જે
અરજદારો એ ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ મેળવી હોય તેવા અરજદારોની એપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ
કરવામાં આવેલ છે.
ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ હોવાથી ફોર-વ્હીલર લાઇસન્સ માટેની ટેસ્ટ આપી
શકાશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી ની યાદીમાં જણાવેલ છે.
ક્રિષ્ના ધોબી
સમાચાર સંખ્યા : ૨૭૯
ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે મચ્છરના સ્કલ્પ્ચરને ખુલ્લુ મુકતાં કેન્દ્રિય
રાજ્યકક્ષાના મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા
કલાત્મક ડિઝાઇન અને ઇન્ટરેક્ટિવ સુવિધાઓ દ્વારા મચ્છર શિલ્પ એક નવીન અભિગમ રજૂ કરવાનો પ્રયાસ
માહિતી બ્યુરો, ભાવનગર
વર્લ્ડ મેલેરિયા ડે નિમિત્તે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રીશ્રી નિમુબેન
બાંભણીયાના વરદહસ્તે મચ્છરના સ્કલ્પ્ચરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્લાન ઇન્ડિયા અને રેકીટના સહયોગથી
સ્કલ્પ્ચર મુકવામાં આવ્યું છે. આ સ્કલ્પચરની સાથે ત્રણ એલીડી મૂકવામાં આવી છે જેમાં આરોગ્યની કાળજીને
લગતા મેસેજ મૂકવામાં આવશે.
મચ્છર શિલ્પ ૧૮ ફૂટ ઊંચું છે અને તેમાં ૩ સ્તંભો છે. ભાવનગરમાં જાહેર આરોગ્ય સંચાર માટે મચ્છર શિલ્પ
એક નવીન અભિગમ રજૂ કરે છે. તેની કલાત્મક ડિઝાઇન અને ઇન્ટરેક્ટિવ સુવિધાઓ દ્વારા, તેનો ઉદ્દેશ્ય જાગૃતિ
લાવવા, સમુદાયને જોડવાનો અને મેલેરિયા સામે લડવાના પ્રયાસોને ટેકો આપવાનો છે.
આ વેળાએ ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા,
મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.કે.મીના,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત સર ટી હોસ્પિટલના આરોગ્ય
કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ક્રિષ્ના ધોબી
સમાચાર સંખ્યા : ૨૮૦
લોકાર્પણ થયેલ બિલ્ડીંગની સુવિધાઓ
વર્તમાન સમયની માંગ મુજબ અદ્યતન બનાવવામાં આવી છે જેમાં કુલ ૪૧ થિયરી રૂમ અને ૪૬ વર્કશોપ
ધરાવતું (G+૪) મકાન ઉચ્ચ કૌશલ્ય તાલીમ માટે જરૂરી તમામ સુવિધા પૂરી પાડે છે.
આઇટી/કમ્પ્યુટર લેબ તથા મલ્ટીમીડિયા રૂમની સુવિધા છે. જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ, વેલ્ડર ઓટો ટ્રેડ જેવા
મેકેનિક મોટર વ્હીકલ, ટુ વ્હીલર ઓટો રિપેરર, મશીન ડીઝલ, કાર્પેન્ટર, ડ્રેસ મેકિંગ જેવા વિવિધ વ્યવસાયોના
તાલીમાર્થીઓ માટે પ્રોજેક્ટ વર્ક અને એક્ઝીબીશન માટે અનુરૂપ છે તાલીમાર્થીઓને સ્કીલ સેમિનાર, ઉદ્યોગગૃહોમાંથી
વિષય નિષ્ણાંત અતિથી વ્યાખ્યાતા ઉપરાંત જોબ ઈન્ટરવ્યુંની તૈયારી માટે Employability skill Lab તથા વિઝ્યુઅલ
પ્રેક્ટિકલ તાલીમ જેવી ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા અદ્યતન તાલીમ આપવામાં આવે છે.
કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે બેઠક, પ્લેસમેન્ટ,
ઇન્ટરવ્યુ, દીક્ષાંત સમારોહ તથા તાલીમાર્થીઓ માટે અન્ય કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન જરૂરીયાત મુજબ કરી
શકાય છે.
સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત શારીરિક રીતે વિકલાંગ તાલીમાર્થીઓ માટે લિફ્ટ, સેનિટેશન, પીવાનાં
પાણીનો રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
સમગ્રતયા નવી બહુમાળી ઇમારત ભાવનગર જિલ્લાના કૌશલ્ય પરિદૃશ્યને બદલી શકે છે. નવીનતમ
વિકસિત માળખાગત સુવિધાઓ કૌશલ્ય વિકાસના નવા અવકાશ ખોલે છે.
Recent Comments