દિલ્હીની દારૂની નીતિમાં ફેરફારને કારણે ૨,૦૦૨ કરોડ રૂપિયાનું નુકસાન થયુંદિલ્હી વિધાનસભામાં દારૂની નીતિ સંબંધિત ઝ્રછય્નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ દારૂની નીતિ સંબંધિત ઝ્રછય્નો રિપોર્ટ રજૂ કર્યો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આ રિપોર્ટમાં એક સૌથી મોટો ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂની નીતિમાં ફેરફારને કારણે ૨,૦૦૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઝ્રછય્ના રિપોર્ટ મુજબ, સ્થાનિક લાયસન્સમાં છૂટને કારણે ૯૪૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિટેલ લાઇસન્સ માટે ટેન્ડર બહાર ન પાડવાને કારણે ૮૯૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
ઝ્રછય્ના ૧૪માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે. બીજી બાજુ વિપક્ષે આ રજૂઆત દરમિયાન હોબાળો ચાલુ જ રાખતાં વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના કુલ ૨૧ ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સામેલ છે. આપ ના ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સુત્રોચ્ચાર કર્યા હતાં.
આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. ઝ્રછય્ રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.
વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા છછઁના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.
Recent Comments