રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અભિયાન, કોઈ પણ હિંદુની ભરતી ન થવી જાેઈએ : બાંગ્લાદેશ

સરકાર બાંગ્લાદેશને હિંદુ મુક્ત બનાવવા માટે કામ કરી રહી છે બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી ગતિવિધિઓ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. વડા પ્રધાન મોહમ્મદ યુનુસની સરકાર બાંગ્લાદેશને હિન્દુ મુક્ત બનાવવા માટે કામ કરી રહી છે. હવે ગૃહ મંત્રાલય અને પબ્લિક સર્વિસ કમિશને એક આદેશ જારી કર્યો છે, જે મુજબ કોન્સ્ટેબલથી લઈને પોલીસ સુધીના ઉચ્ચ પદો પર કોઈ હિન્દુની નિમણૂક કરવામાં આવશે નહીં. આ આદેશને કારણે ૧૫૦૦થી વધુ હિન્દુ ઉમેદવારોની અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જ્યારથી શેખ હસીના સત્તામાંથી બહાર થઈ છે ત્યારથી બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત કામ થઈ રહ્યું છે. શરૂઆતમાં, મદદનીશ પોલીસ અધિક્ષક, પોલીસ અધિક્ષક અને ડીઆઈજી રેન્કના સોથી વધુ હિન્દુ પોલીસ અધિકારીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

તેમના સ્થાને આતંકવાદીઓ, ખાસ કરીને જમાત-એ-ઈસ્લામીના સભ્યોને નિયુક્ત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમજ લગભગ ૭૯ હજાર પોલીસકર્મીઓની નિમણૂંકો રદ કરવામાં આવી રહી છે. આ પદો માટે ભરતી પ્રક્રિયા ગયા વર્ષે ઓક્ટોબરથી શરૂ થઈ છે. હવે આગામી જાન્યુઆરી માસથી આગામી ભરતી પ્રક્રિયા શરૂ થશે. બાંગ્લાદેશ પોલીસના આઈજીપી બહારુલ આલમને સૂચના આપવામાં આવી છે કે કોન્સ્ટેબલ અથવા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરના પદ પર કોઈ હિન્દુની નિમણૂક ન કરો. તેમને આદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ હિંદુ લાયક હોવા છતાં તેની ભરતી કરવામાં ન આવે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવું જાેઈએ કે કોઈ પણ હિંદુ બાંગ્લાદેશ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ ન કરી શકે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. પ્રથમ, ધાર્મિક સ્થળો અને તેમની સ્થાપનાઓ પર હુમલા થઈ રહ્યા છે. આ સાથે તમામ હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શેખ હસીનાથી લઈને અત્યાર સુધીમાં અનેક હિન્દુઓએ જીવ ગુમાવ્યા છે. આ બાબતે પીએમ યુનુસે સુધારાની વાત કરી હતી. પરંતુ સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે.

Related Posts