મહારાષ્ટ્ર કોરોનાના ખતરામાંથી હજી પણ બહાર આવ્યું નથી જેમાં પુણેમાં ઝિકા વાયરસનો ખતરો આવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે એક કે બે નહીં, પરંતુ સમગ્ર ૭૯ ગામો તેના કેસોને કારણે ખળભળાટ મચ્યો છે. રાજય માં આ મામલાની ગંભીરતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વહીવટીતંત્ર
કોરોના સંકટની બીજી લહેરની અસર ઓછી થઈ રહી છે. ઓગસ્ટમાં પ્રથમવાર ૩૦ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૨૦૪ નવા કેસ સામે આવ્યા અને ૩૭૩ લોકોના મોત થયા છે. આ પહેલા ૨૬ જુલાઈએ ૩૦ હજારથી ઓછા (૨૯,૬૮૯) કોરોના કેસ સામે આવ્યા હતા. તો દેશભરમાં […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો છે. યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને એલપીજી કનેક્શન સોંપીને કરવામાં આવી છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન દેશની જનતાને સંબોધિત પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, આજે ઉજ્જવલા યોજનાના આગામી તબક્કામાં અનેક બહેનોને ફ્રી ગેસ કનેક્શન અને ગેસનો […]
વર્ષ ૨૦૧૯માં દિલ્હીના વેપારી મંડળે ઈ-કોમર્સ કંપનીઓ સામે માંડેલો મોરચો કર્ણાટક થઈને અંતે આજે દિલ્હીમાં જ સમાપ્તિના આરે પહોંચ્યો છે. ૨૦૧૯માં દેશની ટોચની ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટની સામે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ ન પુરૂં પાડવાના આક્ષેપ લાગ્યા હતા અને ભારતીય રીટેલ માર્કેટમાં એકહથ્થુ શાસન સામે સીસીઆઇ સમક્ષ અરજી કરવામાં આવી હતી.ભારતીય પ્રતિસ્પર્ધા આયોગની તપાસ સામે
કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ હવાઈ યાત્રામાં તેજી આવી છે. આ કારણે વર્તમાન સમયમાં એર ટિકિટની કિંમત ખૂબ જ વધી ગઈ છે. સ્થિતિ એવી બની છે કે, લંડનથી દિલ્હીની ફ્લાઈટની બિઝનેસ ક્લાસ ટિકિટની કિંમત આશરે ૫ લાખ રૂપિયા થવા આવી છે. બ્રિટિશ એરવેઝની દિલ્હીથી લંડનની ફ્લાઈટનું ૨૬મી ઓગષ્ટનું બિઝનેસ ક્લાસનું ભાડું ૪,૯૬,૧૫૫ રૂપિયા છે. […]
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ‘કાકોરી કાંડ’નું નામ બદલીને ‘કાકોરી ટ્રેન એક્શન’ કરી દીધું છે. સરકાર માને છે કે ‘કાંડ’ શબ્દ ભારતના આઝાદીની લડાઇના ભાગરૂપે ઘટનાની અપમાનની ભાવનાને દર્શાવે છે. આ કારણોસર તેનું નામ બદલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ કાકોરીમાં આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાર્તા
દેશમાં કોરોનાની વધુ એક રસીને મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયાએ મંજૂરી મળી શકે છે. જાે આ મંજૂરી મળે તો દેશમાં પહેલીવાર ૧૨ વર્ષથી ઉપરના અને ૧૮ વર્ષથી ઓછી વયના લોકો રસી લઈ શકશે. આ રસી ૧૨થી ઉપરના તમામ લોકોને રસી આપી શકાશે. કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી […]
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનસેવાની શરૂઆત ૧૫ ઓગસ્ટથી થશે. જાેકે લોકલ ટ્રેનમાં તે જ લોકોને મુસાફરી કરવાની અનુમતિ હશે, જેમણે કોરોના વાઈરસની રસીના બંને ડોઝ લીધા હશે. ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેનમાં યાત્રા કરવા માટે એક પેસેન્જર પાસ […]
બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે ૫૦થી વધુ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી લૂંટફાટ કરી. આ દરમ્યાન ભીડે ઓછામાં ઓછા ચાર મંદિરોને પણ પોતાની ઝપટમાં લઇ તોડફોડ કરી. બાંગ્લાદેશમાં લઘુમતીઓની વિરૂદ્ધ હુમલો તાજેતરના વર્ષોમાં વધ્યો છે. તેનું એક કારણ હિફાઝત-એ-ઇસ્લામ જેવા સંગઠનોનું બાંગ્લાદેશમાં ઝડપથી લોકપ્રિય થવાનું છે. માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પોતાની ઢાકા
પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપતો જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ આજે ૯માં હપતાના પૈસા જારી કરી દીધા છે. દેશના ૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ હપતામાં સરકારે ૧૯૫૦૦ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ યોજનામાં સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરે છે. પીએમ મોદીએ આ દરમિયાન […]
Recent Comments