fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1257)
રાષ્ટ્રીય

બિહારના રાજકારણમાં વિસ્ફોટ કરવા રાજદ તૈયારજેડીયૂના ૧૭ ધારાસભ્યો અમારા સંપર્કમાંઃ આરજેડી નેતા શ્યામ રજકનો દાવો

બિહારના રાજદ પક્ષના નેતા શ્યામ રજકે એવો દાવો કર્યો હતો કે ભાજપની દગાબાજીથી નારાજ એવા જદયુના ૧૭ ધારાસભ્યો અમારી સાથે જાેડાઇને રાજદની સરકાર રચવા તૈયાર હતા. તેમણે કહ્યું કે આ ધારાસભ્યો ભાજપની સરકારને ગબડાવીને રાજદમાં જાેડાવા તૈયાર બેઠા હતા.મિડિયાએ એવો સવાલ કર્યો હતો કે સત્તર સભ્યો પક્ષાંતર કરે તો
રાષ્ટ્રીય

આવતી કાલે વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહત

ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે, રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે, ૨૦૦ એકર જમીનમાં રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સ નિર્માણ થશે ૩૧મી ડિસેમ્બરના રોડ ઁસ્ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો
રાષ્ટ્રીય

કોરોના વાયરસઃ ભારતમાં ૨૪ કલાકમાં સંક્રમણના ૨૦,૫૫૦ નવા કેસ

ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૨૦,૫૫૦ નવા કેસ સામે આવ્યા છે, તે પછી કુલ કેસોની સંખ્યા ૧ કરોડ ૨ લાખથી વધારે થઈ ગઈ છે. જ્યારે પાછલા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨૮૬ લોકોના મોત થયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કારણે થયેલા મોતોનો આંકડો ૧,૪૮,૪૩૯ થઈ ગયો છે. કોરોના સંક્રમણથી દેશમાં એક દિવસમાં ૨૬,૫૭૨ લોકો સ્વાસ્થ્ય […]
રાષ્ટ્રીય

યુકેથી ભારત આવનાર ફ્લાઈટ્‌સ પર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી

કોરોના વાયરસના નવા સ્ટ્રેને ભારતમાં પણ દેખા દેતા કેંન્દ્ર સરકારે બ્રિટનથી આવનારી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ ૭ જાન્યુઆરી સુધી વધારી દીધો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ બાબતે જાહેરાત કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મામલે જાણકારી […]
રાષ્ટ્રીય

રક્ષામંત્રીની ચીન-પાકિસ્તાનને ચેતવણીઃ છંછેડશે તેને છોડીશું નહીં ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરારઃ રાજનાથ સિંહ

સ્થિતિ નહીં સુધરે તો સૈનિકોની તૈનાતી વધારાશે, જરૂર પડી તો ફરી ટેરર કેમ્પો પર કરીશું સ્ટ્રાઈક, પાકિસ્તાનને કડક સંદેશહું ખેડૂત પરિવાર અને મોદી ગરીબ ઘરમાં જન્મ્યા છીએ, ખેતી વિશે રાહુલથી વધુ જાણીએ છીએઃ રાજનાથનો રાહુલને જવાબખેડૂતો આપણા અન્નદાતા છે તેમના પર આક્ષેપ કરવા અયોગ્યઃ રાજનાથ ભારતની લદ્દાખ સરહદે ચીન સાથે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા […]
રાષ્ટ્રીય

કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું ૩૬ રનની શર્મનાક હાર બાદ ક્રિકેટ ઈતિહાસની સૌથી શાનદાર વાપસીમાંથી એક

ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએએ ઓસ્ટ્રેલિયાની સામે બીજી ટેસ્ટમાં મંગળવારે ટીમની ૮ વિકેટથી જીતને ક્રિકેટના ઈતિહાસની સૌથી શાનદાર વાપસીમાંથી એક ગણાવી છે. ભારતને એડિલેડમાં પહેલી ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એડિલેડમાં પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ૩૬ રનો પર ઓલ આઉટ થયા બાદ શાસ્ત્રીએ બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા.શાસ્ત્રીએ […]
રાષ્ટ્રીય

ખેડૂતોની કનેક્ટિવિટીની ફરિયાદ પર સીએમનું એલાન આંદોલનકારી ખેડૂતો માટે આપનું એલાન, સિંધુ બોર્ડર પર ફ્રી વાઇ-ફાઇ આપશે

દિલ્હીની અલગ-અલગ સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો માટે દિલ્હીની સત્તાધીશ આમ આદમી પાર્ટીએ મહત્વનું એલાન કર્યું છે. પાર્ટીએ આંદોલનકારી ખેડૂતોને ફ્રી વાઇ-ફાઇ સેવા આપવાની જાહેરાત કરી હતી. હવે આમ આદમી પાર્ટી સિંધુ બોર્ડર પર ફ્રી વાઇ-ફાઇ હોટ સ્પોટ લગાવશે.આપ નેતા રાઘવ ચડ્ઢા આ અંગે માહિતી આપતા કહ્યું કે, ખેડૂતોની ફરિયાદ હતી કે ઇન્ટરનેટની ખરાબ […]
રાષ્ટ્રીય

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું કારમાં પેસેન્જર સીટમાં ફરજિયાત એરબેગનો કેન્દ્રનો પ્રસ્તાવ

કેન્દ્ર સરકારે મંગળવારે તમામ પેસેન્જર વ્હીકલમાં આગળની પેસેન્જર સીટમાં ફરજિયાત એરબેગ રાખવા દરખાસ્ત કરી છે. અકસ્માતના મસયે મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયે આ અંગે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા મુજબ, મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે તમામ પેસેન્જર
રાષ્ટ્રીય

કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન અસરકારક, ડરવાની જરૂર નથી કોરોના વેક્સીનેશન મુદ્દે ભારત મજબૂત સ્થિતિમાં, પરંતુ નવો સ્ટ્રેન ચિંતાજનકઃ સ્વાસ્થ મંત્રાલય

મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ છ કેસ મળ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે, કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. લોકોએ નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી.ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો કે વિજય રાઘવને […]
રાષ્ટ્રીય

ખેડૂતોએ ગાંધી મેદાનથી રાજભવન સુધી કૂચ કરી પટનામાં કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોની રેલી ઉપર પોલિસનો લાઠીચાર્જ, અનેક લોકો ઘાયલ

કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદોનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. જેની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણામાં દેખાઇ રહી છે. આ ઉપરાંત છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી દિલિહીની સરહદ ઉપર ખેડૂતો આવીને બેઠા છે અને કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે આ ખેડૂત આંદોલનના પડઘા બિહારમાં પણ […]