fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1259)
રાષ્ટ્રીય

શારદા ચીટફંડ કૌભાંડઃકેન્દ્રીય તપાસ એજન્સીની સુપ્રીમકોર્ટમાં અરજી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડ કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવાયોઃ સીબીઆઈ

પશ્ચિમ બંગાળમાં શારદા ચીટફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે જેનાથી મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલી વધી શકે છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડમાં ફસાયેલી તારા ટીવીના કર્મચારીઓને પગાર ચૂકવાયો હતો. તેના માટે રાહત ફંડમાંથી સતત ૨૩ મહિના સુધી
રાષ્ટ્રીય

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦,૦૨૧ કેસ નોંધાયા, ૨૭૯ દર્દીનાં મોત

ભારતમાં ૯૭.૮૨ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે ૨૦ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં […]
રાષ્ટ્રીય

ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદઘાટનઃ પીએમએ દેશની પ્રથમ ઓટોમેટેડ મેટ્રોની શરૂઆત કરી

૨૦૨૫ સુધીમાં ૨૫થી વધુ શહેરોમાં મેટ્રો શરૂ કરવાનું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી ચાલકરહિત ટ્રેન સેવાની દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર ૨૮ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથોસાથ તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ […]
રાષ્ટ્રીય

પતિએ સેનિટાઇઝર કરી તવા પરથી પરાઠુ લેતા આગઃ ૭ વર્ષની બાળકી સહિત ૩ના મોત

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીગ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ.આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં પણ […]
રાષ્ટ્રીય

કેરળ હાઈકોર્ટે મંદિરમાં દર્શન માટે આવતા લોકોના ટેસ્ટનો આદેશ આપ્યો હતો સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો

સબરીમાલા તીર્થ યાત્રા પર જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓએ આજથી દર્શન કરતા પૂર્વે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આ આદેશ કેરળ હાઈકોર્ટે તેમજ રાજ્ય સરકારે આપ્યો છે. શ્રદ્ધાળુઓને મંદિર પહોંચવા અગાઉ પોતાની સાથે નેગેટિવ ટેસ્ટનું સર્ટિફિકેટ રાખવું પડશે. દરમિયાન ત્રવણકોર દેવસ્યમ બોર્ડના મતે આ સર્ટિફિકેટ ૪૮ કલાકથી વધુ જૂનું ના હોવું જાેઈએ. જાે ટેસ્ટ કરાવ્યાને ૪૮ […]
રાષ્ટ્રીય

રિપબ્લિક ડે પરેડમાં સામેલ થવા દિલ્હી આવેલ ૧૫૦ સૈનિકો કોરોના પોઝિટિવ

રિપબ્લિક ડે અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા લગભગ ૧૫૦ સૈનિકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સેફ બબલ પર મોકલતા પહેલા આ સૈનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં કેટલાક પોઝીટીવ મળી આવ્યા છે. મીડિયાનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યુ છેકે, લગભગ બધા જ એસિમ્પ્ટોમેટિક છે. પોઝીટીવ મળેલા સૈનિકોને દિલ્હી કેન્ટોનમેન્ટમાં ક્વોરેન્ટાઈન […]
રાષ્ટ્રીય

અમિત શાહનો વિપક્ષ પર પ્રહારપૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીંઃ અમિત શાહ

તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસે અમિત શાહ અસમના ગુવાહાટી પહોંચ્યા છે. તેમણે અહીં અસમમાં વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીં. આ દરમિયાન ગૃહમંત્રીએ રાજ્યમાં હોસ્પિટલ, કોલેજ સહિત ઘણા વિકાસ કાર્યોની આધારશિલા રાખી હતી. […]
રાષ્ટ્રીય

દીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગત

દીવ માં મહામુહિમ રાષ્ટ્રપતિ નું આગમન થતાં ભવ્ય સ્વાગતનવનિર્મિત જલધર સર્કિટ હાઉસ નું રાષ્ટ્રપતિ ના હસ્તે ઉદઘાટનદેશ ના મહામુહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નું દીવ માં આગમન થતાં દીવ દમણ દાદરા નાગર હવેલી અને લક્ષદ્રીપ ના પ્રશાશક પ્રફુલ પટેલ એ રાષ્ટ્રપતિ નું ભવ્ય સ્વાગત કર્યું અને એરપોર્ટ થી સરકીટ હાઉસ સુધી ઠેક ઠેકાણે સાંસ્ક્રુતિક કાર્યક્રમ દ્વારા […]
રાષ્ટ્રીય

કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવમાં : ૪ દિવસનું રોકાણ

દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન પહેલા કલેકટર શ્રી સલોની રાયની આગેવાનીમાં મીટીંગો વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરાયું હતુ તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દિવમાં આગમન થશે અને તેઓ ૪ દિવસ સુધી દિવમાં રોકાશે.દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનું રપ ડિસેમ્બરના રોજ આગમન થશે. અને ર૮ ડિસેમ્બરે દીવથી વિદાય થશે આ ચાર દિવસના રોકાણમાં […]
રાષ્ટ્રીય

ફ્રાન્સમાં અંધાધુંધ ફાયરિંગમાં ત્રણ પોલીસના મૃત્યુ : ચોથો પલીસકર્મી ગંભીર

પેરીસ : ફ્રાંસના મધ્યમાં આવેલા પુય-ડી-ડોમ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ પોલીસના મોત નીપજ્યાં છે જ્યારે ચૌથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર સ્થાનિક પોલીસને પારિવારિક હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે 48 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી