અમરેલી

ભાવનગર સ્થિત શ્રી અટલ બિહારી વાજપાઈ ઓપન એર થિયેટર ખાતે તા. ૩ જનાયુઆરીએ ક્લસ્ટર- ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે

ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૦૩.૦૧.૨૦૨૬ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓપન એર થિયેટર, મોતીબાગ-ભાવનગર ખાતે ક્લસ્ટર- ભરતીમેળો (મેગા જોબ ફેર) અને સ્વરોજગાર શિબિર યોજાશે. આ ભરતીમેળામાં વિવિધ કંપનીના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા, ધોરણ ૭ કે તેથી વધુ અને આઈ.ટી.આઈ પાસ, સ્નાતકકક્ષા, માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા હોલ્ડરની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઉમેગવારોએ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખી ભાગ લેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts