રાષ્ટ્રીય

CM સ્ટાલિનના પુત્રના ઉધયનિધિના સનાતનના નિવેદનને લઈને હોબાળો

સનાતન ધર્મ મુદ્દે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના એક નિવેદનના કારણે વિવાદ થયો છે, ભાજપે તેના પર આકરા પ્રહાર કર્યા છે, સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું હતું કે, કેટલીક બાબતો નષ્ટ કરવી જાેઇએ નહીં કે તેનો વિરોધ કરવો જાેઇએ. ઉદાહરણ તરીકે મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના. આપણે આ બધાને નષ્ટ કરવા જાેઇએ. સનાતન ધર્મ પણ આવો જ છે, આપણું પહેલુ કર્તવ્ય સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેનો નાશ કરવાનો હોવો જાેઈએ. સનાતન શબ્દ સંસ્કૃતમાંથી લેવાયો છે. આ સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધમાં છે. સનાતનનો અર્થ જ છે કે તે બદલી ન શકાય અને તેના પર કોઇ સવાલ ન ઉઠાવી શકે.

Related Posts