હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૭ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યના ૧૭ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. આ ઉપરાંત રાજ્યમાં ઠંડા પવનો (ર્ઝ્રઙ્મઙ્ઘ ઉૈહઙ્ઘ) પણ ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનું પ્રમાણ વધુ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૭ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની અસર ગુજરાતના હવામાન પર પણ પડી રહી છે. હાડ ધ્રુજાવતી ઠંડીનો (ર્ઝ્રઙ્મઙ્ઘ ઉીટ્ઠંરીિ) હવે ગુજરાતીઓને સામનો કરવો પડી શકે તેમ છે.
તાજેતરમાં, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા નજીકના ભવિષ્યમાં થઈ રહેલા ફેરફારો વિશે માહિતી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે તેમની આગાહીમાં જણાવ્યું હતું કે આગામી ૭ દિવસ સુધી હવામાનમાં મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. રાજ્યના તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, આવી સ્થિતિમાં રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થઈ શકે છે. શનિવારે ગુજરાતના નલિયામાં સૌથી ઓછું તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય પવનો આવી રહ્યા છે,
ઉત્તરીય પવનો ફૂંકાશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવતા પવનો ઉત્તરથી રાજસ્થાન થઈને આવશે જેના કારણે ઠંડી સામાન્ય થઈ શકે છે. આથી બે દિવસ બાદ તાપમાનમાં નજીવો વધારો થઈ શકે છે પરંતુ કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માઉન્ટ આબુમાં સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો ૦.૨ ડિગ્રીથી ગગડી ૪.૨ ડિગ્રી પર પહોંચ્યો છે. ગુજરાતમાં નલિયામાં ૯, ડીસામાં ૧૧.૫, અમદાવાદમાં ૧૩., ગાંધીનગરમાં ૧૪, કેશોદમાં ૧૪.૮, વલ્લભવિદ્યાનગરમાં ૧૫, રાજકોટમાં ૧૫, મહુવામાં ૧૫.૧, વડોદરામાં ૧૫.૨ ડિગ્રી નોંધાયું હતું. , પોરબંદરમાં ૧૫.૪, સુરતમાં ૧૫.૮, ભુજમાં લઘુત્તમ તાપમાન ૧૬.૨, સુરેન્દ્રનગરમાં ૧૬.૮, ભાવનગરમાં ૧૭, કંડલા પોર્ટમાં ૧૭.૭, વેરાવળમાં ૧૯.૧, દ્વારકામાં ૧૯.૨, ઓખામાં ૨૨.૭ ડિગ્રી નોંધાયું હતું.
Recent Comments