કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન સામે વળતર ગુજરાત કૉંગ્રેસ ની જિલ્લા વાઇઝ આક્રોશ યાત્રા આજે અમરેલી આવી પહોંચી હતી જેમાં અમરેલી રાજકમલ ચોકે પહેલા યાત્રા સન્માન અમરેલી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલ જેમાં પ્રદેશ યાત્રામાં માન. રાજ્યસભા ના સાંસદ શક્તિસિંહ ગોહિલ સાહેબ દ્વારા ખેડૂતના દેવા માફ થવા જોઇર અને આ લોલીપોપ પેકેજ ગણાવ્યું હતું અને જન સભા બાદ રેલી રાજ કમલ ચોકથી કલેકટર શ્રી, અમરેલીની કચેરી સુધી યોજાઈ હતી અને બાદમાં કલેકટર સાહેબ ને આવેદન આપવામાં આવેલ જેમાં પેકેજ જગ્યાએ ખેડૂત દેવા માફ કરવા ની માંગ કરાઈ હતી અને આ રેલીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહાનુભાવો તરીકે શક્તિસિંહજી ગોહિલ (પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા રાજ્યસભા સાંસદ), પ્રતાપભાઈ દુધાત (પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસ),
પરેશભાઈ ધાનાણી (પૂર્વ વિરોધ પક્ષ નેતા),જેનીબેન ઠુમ્મર,માનસિંહભાઈ ડોડીયા (યુથ કોંગ્રેસ પ્રદેશ),
લલિતભાઈ વસોયા, કનુભાઈ બારૈયા, ઠાકરશીભાઈ મેતળિયા (પૂર્વ ધારાસભ્યો),અમિતભાઈ ઠુમ્મર, ડી.કે. રૈયાણી, અર્જુનભાઈ સોસા, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા, જે.ડી. કાછડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તે ઉપરાંત અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિઓના આગેવાનો-કાર્યકર્તાઓ, તથા જિલ્લાના દરેક તાલુકાઓમાંથી ખેડૂત ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
મહાનુભાવોએ પોતાના ઉગ્ર ભાષણો દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, ખેડૂતોના પ્રાણપ્રશ્નો તથા થયેલ તારાજી સામે ન્યાય મળ્યા વગર આ લડત અટકશે નહીં તેવી યાદી અમરેલી કૉંગ્રેસ દ્વારા જણાવેલ


















Recent Comments