રાષ્ટ્રીય

વાયનાડમાં ઝેર પીને કોંગ્રેસના નેતા અને તેમના પુત્રનું મોત થયું

કેરળના વાયનાડમાં પોલીસે કોંગ્રેસ નેતા અને તેમના પુત્રના મોતની તપાસ શરૂ કરી છે. ૭૮ વર્ષના એનએમ વિજયન અને તેમના ૩૮ વર્ષના પુત્ર જિજ્ઞેશની ઝેર પીને હત્યાના કેસની તપાસ ચાલી રહી છે. એનએમ વિજયન કોંગ્રેસ સમિતિ (ડ્ઢઝ્રઝ્ર)ના ખજાનચી અને પૂર્વ સુલતાન બાથેરી પંચાયત પ્રમુખ હતા. પોલીસ દ્વારા આ મામલે તપાસ અંગે માહિતી આપવામાં આવી હતી. કથિત રીતે તેને ઝેર ખવડાવવામાં આવ્યું હતું. વાયનાડ જિલ્લાના કોઝિકોડ સરકારી હોસ્પિટલમાં મૃતકોની ઓળખ થઈ હતી. ગંભીર હાલતમાં તેને અહીં-ત્યાં સારવાર આપવામાં આવી રહી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમના અંતિમ સંસ્કાર સુલતાન બાથેરી સ્થિત તેમના ઘરે સાંજે ૫ વાગ્યે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે કથિત રીતે ઝેર પીધા પછી પાડોશીઓએ વિજયન અને જીજ્ઞેશને તેમના ઘરે ગંભીર હાલતમાં જાેયા હતા. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને કોઝિકોડ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જીજ્ઞેશ અને પિતાના મોતને આપઘાત ગણવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તેના ઘરની તલાશી લેવામાં આવી હતી પરંતુ કોઈ સુસાઈડ નોટ મળી નથી. વિજયન વાયનાડમાં કોંગ્રેસના અગ્રણી નેતા હતા. સુલતાન બાથેરી કોઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ કર્મચારી જીજ્ઞેશ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે બીમાર હતા. પત્ની સુમાના અવસાન બાદ વિજયન તેના પુત્ર જીજ્ઞેશની જાતે જ સંભાળ રાખતો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં એક મોટો પુત્ર વિજેશ છે. શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેણે આત્મહત્યા કરી નથી, પરંતુ કોઈએ તેની હત્યા કરી છે. અગાઉ પોલીસને આ આત્મહત્યાનો મામલો હોવાની શંકા હતી. જ્યારે હવે પોલીસે માહિતી આપી છે કે તે આ મામલે પોતાની રીતે તપાસ કરશે.

Related Posts