ગુજરાત

PMJAY માં કૌભાંડ ભ્રષ્ટાચાર, PMJAY-આયુષ્યમાન ભારત યોજનામાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંદર્ભે વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભા બહાર પ્રતિકાત્મક નાટક ભજવીને અને ગૃહમાં પ્રશ્નોતરીના માધ્યમથી ભારે વિરોધ સાથે CBI તપાસની માંગ કરવામાં આવી.

આજે ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ખાનગી મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલ વિષયે વિરોધ કર્યો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ધ્વારા સ્વાસ્થ્ય યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાટક રજૂ કરી દર્દીઓની વેદના અને સરકાર પ્રેરિત ભ્રષ્ટાચારને પ્રદર્શિત કર્યો હતો.ગુજરાતના આરોગ્ય તંત્રની ખોખલી વ્યવસ્થા મોટા કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ કાંડને આજે કોંગ્રેસ પક્ષ ધ્વારા વાચા આપવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષના ધારાભ્યો ડોક્ટર – પેશન્ટ બની વિધાનસભા પરિસરમાં કૌભાંડ ને રજૂ કરી હતી. કોંગ્રેસ ધારાસભ્યોએ વડાપ્રધાન જન આરોગ્ય યોજના (PMJAY) માટે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની, કેસને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને તેમાં CBI તપાસ કરવાની માંગ કરી હતી. ખ્યાતિ કૌભાંડમાં હોસ્પિટલમાં PMJAY લાભાર્થીઓ મહેસાણા જિલ્લાના હતા જેમાં હોસ્પિટલ ધ્વારા એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા પછી મૃત્યુ પામ્યા હતા. આ હોસ્પિટલ માટે બે ડૉક્ટરોની મેડિકલ રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવી છે જેમાં ભાગેડુ માલિક કાર્તિક પટેલની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.


ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે મળતિયાઓને લાભ કરાવવા અને કરોડોના કમિશન ખાવા માટે રાજ્યભરમાં વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. જેના પરિણામે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયું અને ગરીબ દર્દીઓના જીવ ગયા. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે જેમાં સરકાર ધ્વારા કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.શ્રી અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં ભાજપની સરકારમાં કમિશન માટે લોકોની જાન લેવાય છતાંય સરકારને શરમ આવતી નથી, ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે તેમના ખોટા રિપોર્ટ કાઢવામાં આવે છે અને રાજ્યમાં કૌભાંડી ધ્વારા ૧૫૦૦ રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલ નો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવી જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ.

Related Posts