રાષ્ટ્રીય

ભારતીય નેવી અને વાયુસેના પ્રમુખ સાથે મિટિંગ બાદ ડિફેન્સ સેક્રેટરીની વડાપ્રધાન મોદી સાથે બેઠક

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારટ સરકાર દ્વારા પાકિસ્તાન પર કડક પગલાં ભરવામાં આવ્યા છે એમાં ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે પીએમ મોદીની વન ટુ વન બેઠકને પગલે પાકિસ્તાનમાં ફફડાટ છે. આ સંદર્ભે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. નૌકાદળ અને વાયુસેનાના વડાઓ પછી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પીએમ મોદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ સાથે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ પીએમ નિવાસસ્થાનેથી રવાના થયા છે.

વડાપ્રધાન મોદીએ સેનાને પોતાની સાનુકૂળતા પ્રમાણે સમય અને લક્ષ્ય નક્કી કરીને બદલો લેવાની છૂટ આપી દીધી ત્યારથી LoC પર તૈનાત BSF પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે પરંતુ તેને ત્યાં પણ ભારતીય સેના ધૂળ ચટાડી રહી છે.

Related Posts