અમરેલી

દામનગર પૂર્વ નગરપતિ અજમેરા પરિવાર દ્વારા ભગવંત નેમિનાથ દેરાસર માં ધજારોહણ અઢાર અભિષેક મહોત્સવ યોજાયો

દામનગર શહેર માં ભગવાન નેમિનાથ દેરાસર માં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અજમેરા કુટુંબ નાં પુત્રી રત્નો પુત્ર રત્નો દ્વારા ધજા રોહણ કરાયું દામનગર નાં પૂર્વ નગરપતિ શ્રી હસુભાઈ અને બળવંતભાઈ અજમેરા પરિવાર નાં રહેણાક મકાન માં પ પુ  આ દેવ શ્રી  હેમવલ્લભસુરિશ્વરજી મહારાજ સાહેબ નીશ્રા માં નિર્મિત  થયેલ  ગિરનાર તીર્થ મંડલ શ્રી નેમિનાથ ભગવંત નાં દેરાસર  ની પ્રથમ વર્ષ ગાંઠ નિમિતે  અજમેરા પરિવાર નાં પુત્ર રત્ન  વિરલભાઈ – કુમારભાઈ  એવમ પુત્રી રત્ન ચારુંબેન – binaaben- બેલાબેન અને પુત્ર વધુ કિરણબેન અજમેરા દ્વારા બેદિવસિય અઢાર અભિષેક સહિત ભવ્ય અને દિવ્ય મહોત્સવ નું આયોજન કરાયું હતું પૂર્વ નગરપતિ પરિવાર ની સામાજિક સુવાસ અને સમગ્ર વતન પ્રત્યે આત્મીયતા થી ખૂબ મોટી સંખ્યા માં જેન જેનોતર પરિવારો એ આ દિવ્ય અને ભવ્ય મહોત્સવ માં પૂજન અર્ચન દર્શન નો લાભ મેળવ્યો હતો પૂર્વ નગરપતિ હસુભાઈ અજમેરા પરિવાર ની પુત્રી રત્ન બીનાબેન અજમેરા વતન આગમન થયા ના સમાચાર થી અનેક પરિચિત પરિવારો એ મિતભાષી મિલનસાર સ્વભાવ ના બીનાબેન નું દશાશ્રી જેન મહાજન વાડી પરિસર માં વિશિષ્ટ સત્કાર સન્માન કર્યું હતું દામનગર અજમેરા પરિવાર ના પુત્રી રત્ન અને પુત્ર રત્ન ની ઉદારતા અને ગુરુ ભગવંત ની યાજ્ઞાવૃત્તિ એ ભવ્ય ભગવંત નેમિનાથ નું દેરાસર નિર્માણ નું કાર્ય કરાવ્યું જે સમસ્ત માનવ સમાજ ને યુગોયુગાંતર ધર્મ પરાયણતા નો સંદેશ આપતું રહેશે દિવ્ય દેરાસર ની પ્રથમ વર્ષ ગાંઠ દીને ધજારોહણ અને અઢાર અભિષેક મહોત્સવ યોજાયો હતો

Related Posts