મહાકુંભ મેળા માં મહામાહિમ રાજ્યપાલ આનંદીબેન ની પ્રેરક ઉપસ્થિતિ માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા ૧ લાખ ધાબળા વિતરણ
ઉતરપ્રદેશ પ્રયાગરાજ મહા કુંભ મેળા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા તા ૨૩/૦૧/૨૫ ના રોજ ઉત્તરપ્રદેશ ના મહામાહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં એક લાખ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા સાથે રાષ્ટ્રીય મહામંત્રી દેવેશજી ઉપાધ્યાય ઈશ્ર્વરી પ્રસાદ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી રાષ્ટ્રીય મંત્રી પ્રદિપજી ગોર કોષાધ્યક્ષ વિજય રેડીજી તેમજ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય અધ્યક્ષ મનોજસિંહ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રયાગરાજ મહાકુંભ મેળા મા આનંદીબેન પટેલ એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સેવા ને બીરદાવી હતી અને ઉત્તમ ભોજન વ્યવસ્થા ની સરાહનીય સેવા નિહાળી હતી મેડિકલ સેવા અને એક મુઠ્ઠી અનાજ માધ્યમ ની અદભુત સેવા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments