સાવરકુંડલામાં સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાના કાર્ય કરવામાં આવે છે તે પૈકી
ઉનાળાની આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે. આ ઉમદા વિચાર ને ધ્યાનમાં રાખીને, સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા પક્ષીઓ પાણીના કુંડા અને પશુઓ માટે પાણીની ટાંકીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦ પાણીના કુંડા અને ૧૦૦ પાણીની ટાંકી (અવેડી) નું વિતરણ કરવામાં આવેલ. આ સેવાકાર્યમાં મુખ્ય લાભાર્થી મહાવીર સ્વામીના અનુયાયી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન – સાવરકુંડલા વાળા (હાલ : મુંબઈ) છે.
પાણીની ટાંકી અને કુંડા વિતરણ કાર્ય એ સાવરકુંડલાના લોકો પક્ષીઓ અને પશુઓ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેની પ્રતીતિ કરાવનારું છે. આ સેવા કાર્ય દ્વારા સમર્પણ ગૌ સેવા સમિતિ એ પક્ષીઓ અને પશુઓને મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાનું સરાહનીય કાર્ય કરેલ છે. આ સંસ્થા દ્વારા શહેરમાં કોઈ પણ જગ્યાએ ગાયમાતા બીમાર હોય, અકસ્માતે ઇજા થયેલ હોય તો તેની જાણ થતા જ તેની સારવાર માટે ડોક્ટરની ટીમ સ્થળ પર પહોંચી અને તેની સારવાર કરે છે. આ સંસ્થા દાતાઓના સ્વૈચ્છિક સહકારથી ચાલે છે. પ.પૂ. અવધૂત બાબા શિવાનંદજી ના આશીર્વાદથી સ્થપાયેલ આ સંસ્થા છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા દ્વારા ક્યારેય પણ ગૌ માતાના નામે ફાળો ઉઘરાવવામાં આવતો નથી.
આ સંસ્થાના પ્રમુખ તરીકે અમીતભાઇ ખીરા (ખીરાદાદા) સતત કાર્યરત છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે
સાવરકુંડલામાં સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા મુંગા-અબોલ જીવો માટે પાણીની ટાંકી તેમજ કુંડાનું વિતરણ

Recent Comments