અમરેલી

મે અને જૂન માસ દરમિયાન અમરેલી જિલ્લાના રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો મેળવી લેવા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અનુરોધ

જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા -૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બંને પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી વિવિધ અનાજ અને જરુરી ખાદ્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે- ૨૦૨૫માં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ થઇ શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૦૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ છે.

એન. એફ. એસ. એ. રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ રેશનકાર્ડ ધારકો  ઈ-કેવાયસી બનતી ત્વરાએ કરાવવા માટે જે-તે તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરી, નાયબ મામલતદાર – પુરવઠા દ્વારા એપ્રુવલ મેળવ્યા બાદના ૨૪ કલાક પછી સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી લેવા અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts