અમરેલી

સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને દાતા શ્રી અશોકભાઈ શેઠ દ્વારા રૂા.૯૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા નેવું લાખ જેવી માતબર રકમનુ દાન

ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને દર્દી કલ્યાણ માટે શેઠ પરિવાર દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં છેલ્લા ચારેક વર્ષથી વખતો-વખત અનુદાન આપનાર વડોદરા નાં વતની શ્રી અશોકભાઈ શેઠ /પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન દ્વારા આપણી હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં હોસ્પિટલ બિલ્ડીંગ નં.૨ માટે ડાયાલીસીસ મશીન અને ઓર્થોપેડીક વિભાગમાં ઓપરેશનનાં સાધનો ખરીદી બાબતે હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રી-બી.એલ. રાજપરા સાથે ચર્ચા થયા મુજબ દાતા શ્રી અશોકભાઈ શેઠ દ્વારા USD $ 1,05,000 (અમેરીકન ડોલર કે જેના અંદાજીત રૂા.૯૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા નેવું લાખ થાય) જેવી માતબર રકમનુ અનુદાન તા.૨૦.૮.૨૫ નાં રોજ અર્પણ કરેલ છે.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી અશોકભાઈ શેઠ / પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સન્ ૨૦૨૨ થી તેઓશ્રી તરફથી રૂા.૭૭,૦૦,૫૮૫/-અંકે રૂપિયા સત્યોતેર લાખથી વધુ માતબર રકમનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.

Related Posts