દામનગર શહેર માં ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ ની અમૃત ટુ ની રૂપિયા પાંચ કરોડ ની ગ્રાન્ટ મેળવી શહેર ની બદલે સ્મશાન માં વાપરતા રાજ્ય ના કમિશનર મન્યુસિપાલટી સમક્ષ શહેર ના જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજુઆત કરાય હતી સ્મશાન માં કૈલાસ મુક્તિ ધામ સિવાય ની ગ્રાન્ટ વાપરી શકાય નહીં તેમ છતાં અમૃત ટુ ની રૂપિયા પાંચ કરોડ ની ગ્રાન્ટ માંથી રૂપિયા અઢી કરોડ સ્મશાન માં બગીચો બનાવવા ના કામે વાપરતા મહેશભાઈ નારોલા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને પંકજભાઈ નારોલા સહિત ના અલગ અલગ ત્રણ વ્યક્તિ ઓ દ્વારા આ અંગે રાજ્ય સરકાર ના કમિશનર મન્યુસિપાલટી એડમિનિટ્રેસન માં થયેલ રજુઆત સંદર્ભ માં નં કમી.મ્યુનિ/ તપાસ/ દામનગર/ E – file/૨૫૯/૦૧૫૦/૨૦૨૫ થી પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર ને પત્ર પાઠવી રજુઆત સંદર્ભ ના પાસા ઓની ચકાસણી કરવા અને સ્પષ્ટ અભિપ્રાય સાથે ગાંધીનગર મ્યુનિસિપાલટી એડમિનિટ્રેશન ને અહેવાલ મોકલવા તાકીદ કરાય છે
ત્યારે સવાલ એ છે કે શું શહેર ના વિકાસ ના નાણાં સમશન માં વાપરી શકાય ? અને તે પણ જ્યાં માણસ સ્મશાન યાત્રા દરમ્યાન એક કલાક થી વધુ સમય કાઢી બેચે ખરા ? અઢી કરોડ ના ખર્ચે બગીચો બનાવવાની કેમ જરૂર પડી ? શુ દામનગર શહેર માં અન્ય કોઈ સ્થળ ઉપલબ્ધ નથી ? જેવા અનેક સવાલો વચ્ચે સત્તાધીશો વિકાસ ના નામે જન વિકાસ ના નાણાં ગમે ત્યાં વાપરી શકે ખરા ? સરકાર માં નાણાં પાછા જતા ન રહે તે માટે નાણાં ગમે ત્યાં વાપરી સરકાર માંથી મેળવી તેનો વ્યય કરવો બિન જરૂરી જગ્યા એ વાપરવા કેટલા વ્યાજબી ?
Recent Comments