ભાવનગર

ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગની શૈક્ષણિક સમિતિમાં ડો.નાનકભટ્ટને નિયુકત કરવામાં આવ્યા છે

ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગની શૈક્ષણિક સમિતિમાં ડો.નાનકભટ્ટને નિયુકત કરવામાં આવ્યા છે સમાજશાસ્ત્ર વિષયમાં એમ.એ, પી.એચ.ડી. સુધીના અભ્યાસ  છેલ્લા ૪૦ વર્ષથી આઈ.પી.સી.એલ., રીલાયન્સ જેવાં કોર્પોરેટ એન.જી.ઓ.માં  ગ્રામવિકાસ અને સામાજિક સુધાર સાથે સંલગ્ન ડો. ભટ્ટ ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર માં માનદમંત્રી તરીકે પોતાનાં અનુભવોથી સમાજકાર્યમાં રોકાએલ છે. ગુજરાતનાં વિવિધ વર્તમાનપત્રો અને સામયિકમાં ૧૨૦૦ થી વધુ પ્રકાશિત લેખો અને પર્યાય વિકાસ અંગે ૫૪ થી વધુ પુસ્તકો આપનાર શ્રી નાનકભાઇ ભટ્ટની યુનિવર્સિટી ની એકેડમી કાઉન્સીલમાં નિયુક્તિથી વિધ્યાર્થીઓના શિક્ષણ અને કારકિર્દી વિકાસમાં નોંધનીય યોગદાન આપશો.

Related Posts