સંતશ્રી બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા (તા.મહુવા) ખાતે આગામી તા.3/3/2026ને મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી સવારના 6 કલાકથી સાંજના 6.30 કલાક સુધી દર્શન વિભાગ સંપૂર્ણપણે બંધ રહેશે.
ગુરૂઆશ્રમમાં આ દિવસે સવારની મંગલા આરતી સવારે 5 કલાકે થશે. જ્યારે સાંજની સંધ્યા આરતી 7.30 કલાકે થશે. બપોરની રાજભોગ આરતી બંધ રહેશે.
સાંજની આરતી પછી રાબેતા મુજબ દર્શન લાભ ચાલુ રહેશે.
ફાગણસૂદ પૂનમના રોજ ચંદ્રગ્રહણના લીધે દર્શન સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે.
જેની દરેક યાત્રાળુઓ તેમજ દર્શનાર્થીઓએ નોંધ લેવા ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા જણાવાયું છે.


















Recent Comments