રમજાન માસ દરમિયાન ભાવનગરમાં રેડ ક્રોસથી જોગીવાડની ટાંકી પાસે આવેલ સીદીકીયા મસ્જીદ સુધી બંને સાઈડ તરફથી આવતા થ્રી વ્હીલ, ફોર વ્હીલ તથા ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ

આગામી તા.૦૨/૦૩/૨૦૨૫ થી મુસ્લીમ સમાજનો પવિત્ર “રમઝાન માસ” શરૂ થનાર છે. ભાવનગર શહેરમાં દિવાનપરા રોડ પર આવેલ રેડ ક્રોસથી જોગીવાડની ટાંકી સુધીમાં પાંચ મસ્જીદો આવેલી છે. તેમજ આ રોડ ઉપર બંને સાઈડમાં ખાણી-પીણીની તેમજ અન્ય ખરીદી માટેની દુકાનો આવેલી છે. આ રોડ ઉપર રમઝાન માસ દરમ્યાન સાંજની નમાઝ પુરી થાય ત્યારે તેમજ સાંજના સમયે ખરીદી માટે લોકોનો ખુબ જ ઘસારો રહેતો હોઈ, જેથી આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે
અને અકસ્માત નિવારી શકાય તે સારુ ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ તા.૦૨/૦૩/૨૦૨૫ થી તા.૦૧/૦૪/૨૦૨૫ સુધી દરરોજ ક.૧૭/૦૦ થી ક.૨૧/૦૦ દરમ્યાન રેડ ક્રોસથી જોગીવાડની ટાંકી પાસે આવેલ સીદીકીયા મસ્જીદ તથા જોગીવાડની ટાંકી સીદીકીયા મસ્જીદથી રેડ ક્રોસ સુધી બંને સાઈડ તરફથી આવતા થ્રી વ્હીલ, ફોર વ્હીલ તથા ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલને અધિકાર રહેશે.આ જાહેરનામાની જોગવાઈમાંથી જાહેર સેવા માટેનાં સરકારી વાહનો, ફાયર બ્રીગેડ તેમજ એમ્બ્યુલન્સને મુક્તિ આપવામાં આવી છે.
Recent Comments