સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે એકનાથ શિંદે નું નિવેદન

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એ કહ્યું હતું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જાેઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની ‘સોપારી‘ લેવા જેવું છે.‘
આ મુદ્દે વધુમાં શિંદેએ કહ્યું હતું કે, ‘આ જ વ્યક્તિએ ભારતની સર્વોચ્ચ અદાલત, વડાપ્રધાન, અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પણ ટિપ્પણી કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પરંતુ કોઈના ઇશારે કામ કરે છે તેવું છે.‘
આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું હું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.‘
સમગ્ર મામલા ની વાત કરીએ તો, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે નામ લીધા વગર જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.
Recent Comments