ગુજરાત

સહકારી સંસ્થાઓમાં એસસી, એસટી, ઓબીસી માટે અનામત દાખલ કરો: શ્રી અમીત ચાવડા

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે વિકસતી જાતિની વસતી ગુજરાતમાં હાલ કુલ વસતીના 52 % જેટલી છે. આ માટે રાજ્ય સરકાર પાસે કોઈ ચોક્કસ આંકડા નથી કારણ કે વસતી ગણતરી વખતે ઓ.બી.સી. જાતિઓની વસતીના આંકડા જાહેર થયા નથી. દેશમાં અન્ય પછાતવર્ગ (OBC)માં સમાવિષ્ટ જાતિઓ જે રાજ્ય સરકારના લાભથી વંચિત છે તેનું કારણ તેમની વસતીના પ્રમાણ માં રાજ્ય સરકારે તેમના કલ્યાણ માટે નાણાંની પુરતી જોગવાઈ કરવામાં આવેલ નથી કે વિકાસ માટે જરુરી એવી અનામત જગ્યાઓનો વસતિના પ્રમાણ માં લાભ અપાયો નથી . જેના કારણે અન્ય પછાત વર્ગના લોકો ને સામાજીક ન્યાય અને સમાનતા બક્ષવા અને આ જરુરીયાત મંદ પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે સરકારી બજેટમાં વસતિના ધોરણે પુરતું બજેટ અને સંશોધનોમાં ફાળવવામાં આવે તથા આ જાતીના લોકોને વિકાસમાં યોગ્ય હિસ્સેદારી મળી રહે તે માટે જાતિ જનગણના તાત્કાલિક કરાવી તે આધારે સરકારમાં વસતિના ધોરણે લાભ અપાય તે સુનિશ્વિત કરવા માટે આ સમાજના લોકોને જાગૃત કરવા માટે આ “ઓબીસી જન અધિકાર સમિતિ” એટલે કે “OJAS”એક બિનરાજકીય સંગઠન બનાવવામાં આવેલ છે.

“ઓબીસી જન અધિકાર સમિતિ” એટલે કે “OJAS” દેશભરમાં તાત્કાલિક વસતી ગણતરી કરાવી તેમાં તમામ જાતિ આધારિત જણ ગણના કરવામાં આવે અને વહેલામાં વહેલી જાહેર કરવામાં આવે તે માટે જાગરુકત માટે ગુજરાતમાં ઉત્તર ગુજરાત – દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમ ચાર ઝોન માં ઝોન વાઈઝ જન જાગૃતિ અર્થે પરિસંવાદ – સેમિનાર નું આયોજન છે જેમાં વિદ્વાન વક્તાઓ , નિષ્ણાંતો , સામાજીક આગેવાનો , અને રાજકીય આગેવાનોને નિમંત્રણ આપી જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જે હેઠળ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઝોન બાદ આજરોજ સૌરાષ્ટ્ર ઝોનનો પરિસંવાદ રાજકોટ ખાતે યોજાયો હતો .ભારત સરકારે જ્યારે એસ.સી./એસ.ટી.અને અન્ય પછાત વર્ગ માટે અનામતની ખાસ જોગવાઈઓ કરી ત્યારે તેની સામે વાંધા લેનારાઓ દ્વારા કાનૂની લડત અપાઈ, જેમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુનિશ્વિત કરવામાં આવ્યું કે સરકાર પછાત વર્ગના લોકો માટે કુલ જગ્યાના ૫૦ % થી વધુ જગ્યા ઉપર અનામત લાગુ કરી શકે નહીં . આ સંજોગોમાં દેશમાં સરકારે ભરવાની થતી તમામ જગાઓને આ નિયમ લાગુ કરવામાં આવ્યા. આપણા ગુજરાતની વાસ્તવિકતા એવી હતી કે રાજ્યમાં વસતા એસ.સી. ની વસતી ૭ % હતી, રાજ્યમાં વસતા એસ.ટી. ની વસતી ૧૪ % હતી , અને અન્ય પછાત વર્ગની વસતી 52 % હતી. આમ રાજ્યમાં જ્યારે વંચિત – ગરીબ અને પછાત વર્ગના લોકોની વસતિ ( એસ.સી. +એસ.ટી. + ઓબીસી ) ૭૩ % હતી અને ૨૭ % ઓપન કેટેગરીની વસતી હતી ત્યારે રીઝર્વેશ ૫૦ % સીટ પુરતું જ લાગુ કરવાની જોગવાઈના કારણે રાજ્ય સરકારે એસ.સી. માટે ૭% + એસ.ટી માટે ૧૪ % સીટ અનામત રાખવાનું નક્કી કરાયું, જેથી એસ.સી. અને એસ. ટી.ને તેમની વસતિના પ્રમાણ માં અનામત જોગવાઈનો લાભ અપાયો હતો.આ ઉપરાંત માજી સૈનિકો તથા વિકલાંગો માટે ૨% રીઝર્વેશન રાખવામાં આવેલ હતું. આમ ભરવાની થતી ૧૦૦ જગ્યા સામે રાજ્ય સરકારે અનામત રખાયેલ ૫૦ % જગ્યા સામે ૨૩ % રીઝર્વેશન આપી દીધું હતું , જેની સામે કોઈને પણ વાંધો હોઈ શકે નહીં. આ પછી રીઝર્વેશનની બાકી રહેલ ૨૭ % જગાઓ અન્ય પછાત વર્ગને આપવાની સરકારે જોગવાઈ કરી , જેના કારણે અન્ય પછાત વર્ગને ખરેખર મળવા પાત્ર ૫૨ (બાવન) % જગા સામે માત્ર ૨૭ % જગાઓ આપી અન્ય પછાત વર્ગના હક્કની ૨૫ % જગાઓ ઓપન કેટેગરીમાં મૂકી દીધી છે . જેના કારણે રાજ્યના અન્ય પછાત વર્ગના લોકોમાં વર્ષોથી અન્યાય થયાની લાગણી જન્મી છે, જેનો અસંતોષ આજે પણ પ્રવર્તે છે. ગુજરાતમાં છેલ્લ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારે અન્ય પછાત વર્ગોનો અસંતોષ દૂર કરવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યાં નથી.

ઓ.બી.સી. સમાજોને આ જે અન્યાય થઈ રહ્યો છે અને તે માટે એક માત્ર કારણ ચર્ચાય છે કે ઓ.બી.સી.ની ચોક્કસ વસતિની સરકાર પાસે અધિકૃત માહિતી ન હોવાથી ઓ.બી.સી.ની 52 % વસતી છે તેનું પ્રમાણ શું? આ સંજોગોમાં અન્ય પછાત વર્ગના જાગૃત લોકો દ્વારા એક સ્વયંભુ બનેલ “ઓ.બી.સી. જનાધિકાર સમિતિ” ના નેજા હેઠળ ઓ.બી.સી. સમાજ દ્વારા આગામી વસતિ ગણતરી વખતે જાતિ આધારિત મતગણના કરાવવાની દ્રઢ માગણી કરવા માટેનું છે. આ પરીસંવાદનો હેતુ રાજ્યભરના ઓબીસીને તેમના હક્કો માટે જાગરુક કરી વસતી આધારે અનામત આપવા તથા સરકારશ્રીને આગામી મત ગણતરી વખતે રાજ્યમાં વસતી તમામ જાતિના લોકોની જાતિ આધારીત વસતી ગણતરી કરાવી જાતિવાર વસતિના આંકડા જાહેર કરાવવાનો છે.આ પરિસંવાદમાં નીચેના મુદ્દે જાગરૂકતા લાવવાનો અને રાજ્ય સરકાર તથા સક્ષમ કક્ષાએ અવાજ રજૂ કરવાનો છે:૧. અમારી માગણી છે કે આગામી વસતી ગણતરી વખતે ગુજરાત રાજ્યની ઓ.બી.સી. કક્ષામાં સમાવિષ્ટ થતી તમામ જાતિઓની જાતિવાર વસતીની ગણતરી કરાવવી , અને તેના આંકડા પ્રસિધ્ધ કરવા. આમ થવાથી ગુજરાત રાજ્યમાં વસતા ઓ.બી.સી. માં સમાવિષ્ટ જાતિઓની કુલ વસતી કેટલી છે તેની ખરેખર અધિકૃત માહિતી મળશે . આ માહિતી આધારે રાજ્યના અન્ય પછાત વર્ગની વસતી કરતાં ઓછી અનામત આપવી તે આ પછાત વર્ગના લોકોને અન્યાય કર્તા હોવાથી, આ જાતિના લોકોને સરકારે તાત્કાલિક ન્યાય આપવા માટે ઓ.બી.સી. માટે હાલની અનામત માટેની અન્યાય કર્તા ૨૭ % અનામત આપવાની જોગવાઈ તાત્કાલિક સુધારી વસતિના ધોરણે અનામત આપવા માટેની નિયમોમાં જોગવાઈ કરવી .૨. ગુજરાત રાજ્યમાં ઓ.બી.સી.ની કુલ વસતિ જો ૨૭ % થી વધુ હોય , તો જેટલી વસતી વધુ છે તેટલી અનામતની બેઠકો વધારવાની રહેશે . આ માટે રાજ્ય સરકાર તથા કેંદ્ર સરકારે કરવાની થતી કાર્યવાહી તાત્કાલિક કરવાની થશે . જો ઓ.બી.સી.ની ખરેખર વસતી ૫૨ (બાવન) % નિકળે તે ઓ.બી.સી. માટે ૫૨ (બાવન ) % અનામત આપવાની જોગવાઈ કરવી . આ માટે અનામતની હાલની ૫૦ % ની મર્યાદા દૂર કરવા સરકારે તાત્કાલિક નિર્ણય કરવાનો થાય .

૩. ગુજરાત સરકારના શાશનમાં ઓ.બી.સી. સમાજને છેલ્લા ૩૦ વર્ષ થી જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય દૂર કરવા અંગે રજૂઆત કરવાની થાય છે . કારણ કે રાજ્ય સરકાર ઓ.બી.સી. કલ્યાણ કરવા માટે જરુરી એવી પુરતી નાણાંકીય જોગવાઈ ન કરવાના કારણે ઓ.બી.સી. ના કલ્યાણ ની યોજનાઓ માત્ર કાગળ ઉપર રહે છે . આ બાબત રાજ્ય સરકારની અન્ય પછાત વર્ગ માટે કરાયેલ બજેટ જોગવાઈથી સ્પષ્ટ થાય છે. જો જાતિ આધારિત જનગણના થાય અને વસતીના પ્રમાણમાં બજેટ જોગવાઈ થાય તો જ આ પછાત વર્ગનું કલ્યાણ થાય .(ક) વર્ષ : ૨૦૨૧-૨૨ માં સામાજીક ન્યાય વિભાગ હસ્તકનાં રાજ્યની ૭૩ % વસતી ધરાવતા એસ.સી., એસ.ટી. અને ઓબીસી માટેનાં સરકારી બોર્ડ કોર્પોરેશ માટે રાજ્ય સરકારે બજેટમાં માત્ર રૂ.૮૯ . ૯૩ કરોડની જોગવાઈ કરેલ છે , જેની સામે ગુજરાત રાજ્યની ૧૦ % વસતી ને લાભ આપતા બિન અનામત આયોગ માટે સરકારે રૂ. ૪૫૦ કરોડની જોગવાઈ કરેલ છે . આ સંજોગોમાં ૭૩ % વસતી ધરાવતા પછાત વર્ગ કલ્યાણ માટેનાં બોર્ડ કોર્પોરેશનને તે ધોરણ મુજબ જોગવાઈ કરવા અમારી રજૂઆત છે .(ખ) વર્ષ : ૨૦૨૨-૨૩ માં સામાજીક ન્યાય વિભાગ હસ્તકનાં રાજ્યની ૭૩ % વસતી ધરાવતા એસ.સી., એસ.ટી. અને ઓબીસી માટેનાં સરકારી બોર્ડ કોર્પોરેશ માટે રાજ્ય સરકારે બજેટમાં માત્ર રૂ.૧૨૯.૭૯ કરોડની જોગવાઈ કરેલ છે જેની સામે ગુજરાત રાજ્યની ૧૦ % વસતી ને લાભ આપતા બિન અનામત આયોગ માટે સરકારે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ કરેલ છે . આ સંજોગોમાં ૭૩ % વસતી ધરાવતા પછાત વર્ગ કલ્યાણ માટેનાં બોર્ડ કોર્પોરેશનને તે ધોરણ મુજબ જોગવાઈ કરવા અમારી રજૂઆત છે .(ગ) વર્ષ : ૨૦૨૨-૨૩ માં સામાજીક ન્યાય વિભાગને રૂ. ૪૭૮૧.૮૩ કરોડની કરાયેલ બજેટ જોગવાઈ સામે રાજ્યની ૫૨% વસતી ધરાવતા ઓ.બી.સી. કલ્યાણ માટે રાજ્ય સરકારે માત્ર રૂ.૨૧૭૨.૪૬ ની જોગવાઈ કરેલ હતી.(ઘ) વર્ષ : ૨૦૨૩-૨૪ માં સામાજીક ન્યાય વિભાગને રૂ. ૫૫૮૦.૨૫ કરોડની કરાયેલ બજેટ જોગવાઈ સામે વિભાગ માત્ર રૂ. ૪૬૭૭.૪૪ કરોડ ખર્ચ કરી શકેલ છે . આમાં રાજ્યની ૫૨% વસતી ધરાવતા ઓ.બી.સી. કલ્યાણ માટે સરકારે માત્ર રૂ. ૨૨૯૫.૩૬ ની જોગવાઈ કરેલ હતી.આમ, “ઓબીસી જન અધિકાર સમિતિ” એટલે કે “OJAS” ના મુખ્ય હેતુઓમાં :-❖ તાત્કાલિક ધોરણે સરકાર જાતિ આધારીત જનગણના કરવામાં આવે .❖ જાતિ જનગણના આધારે ઓબીસી ની વસતિ આધારે અનામત જોગવાઈ લાગુ

કરવા માટે હાલની અનામત માટેની ૫૦ % ની મર્યાદા દૂર કરવી.

❖ જાતિ આધારીત જનગણના ધ્યાને લઈ સરકાર વસતીના ધોરણે બજેટનીફાળવણી કરે તે સુનિશ્વિત કરવું .❖ સરકારની વિવિધ યોજનાઓ, સરકારી બોર્ડ કોર્પોરેશનમાં થતી બજેટ જોગવાઈતથા ગ્રાંટ ફાળવણીના અન્યાય / ભેદભવ દૂર થાય તે સુનિશ્વિત કરવું .❖ સહકારી સંસ્થાઓમાં એસ.સી. એસ.ટી. ઓ.બી.સી. મહિલા ઓ માટે વસતિનાપ્રમાણ માં અનામત જોગવાઈ સુનિશ્વિત કરવી .❖ રાજ્ય સરકાર દ્વારા સમર્પિત આયોગ ( જસ્ટીસ શ્રી ઝવેરી આયોગ) ના રીપોર્ટ જાહેર કરવો અને રીપોર્ટ દ્વારા કરાયેલ ભલામણોનો સ્વિકાર કરી અમલ કરી❖ સ્થનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત લાગુ કરવી.મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ , ડો. ભીમરાવ અંબેડકર સહિતના નેતાઓએ આઝાદીના આંદોલન દરમિયાન બ્રિટીશ શાશનકાળના અત્યાચારના કારણે થયેલ ભારતના ગરીબોની દુરદશાનો તલસ્પર્શી અભ્યાસ કરીને દેશના ગરીબો અને વંચિતોના વિકાસ માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરીને શીડ્યુઅલ કાસ્ટ – શીડ્યુઅલ ટ્રાઈબ અને અન્ય પછાત વર્ગના લોકોનું હિત સાચવવા માટેની જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી , તેનાથી આઝાદી પછી ક્રમશ: ગરીબ અને પછાત વર્ગના લોકોનું કલ્યાણ થયું છે.ભારતના સંવિધાનમાં ખાસ શિડ્યુઅલમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના કલ્યાણ માટે જે જોગવાઈ થઈ છે, તેવી જોગવાઈ અન્ય પછાત વર્ગ માટે નહીં થવાથી અને જે તે રાજ્યોને અન્ય પછાત વર્ગના વિકાસની જવાબદારી સોંપવામાં આવતાં તથા અન્ય પછાત વર્ગ – ઓ.બી.સી. માં સમાવિસ્ટ જાતિઓ નક્કી કરી તેમના કલ્યાણ માટે સમયાંતરે કમિશન નિમવામાં આવેલ છે , જે કમિશનોએ સમયાંતરે રાજ્ય સરકારોને ભલામણો પણ કરેલ છે પરંતુ અન્ય પછાત વર્ગ એટલેકે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત એવી વિકસીત જાતિઓની જે તે રાજ્યમાં કયા વિસ્તારમાં કેટલી વસતી છે ? તેની વિગતો ન હોવાથી આ જાતિઓના વિકાસ માટે અસરકારક પગલાં લઈ શકાતાં નથી . આથી અન્ય પછાત વર્ગોની એક માગ રહી છે કે દેશમાં અન્ય પછાત વર્ગોના લોકોને વિકાસ માટેની તમામ જોગવાઈઓનો લાભ એસ.સી./ એસ. ટી. ધોરણે મળે તે સુનિશ્વિત કરવું .આ પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. રવિકાંત જી, વિધાનસભા વિપક્ષ નેતા શ્રી અમિતભાઈ ચાવડા, સેવાદળના રાષ્ટ્રીય સંયોજક શ્રી લાલજીભાઈ દેસાઈએ પધારેલ લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે AICC સેક્રેટરી શ્રી ઋત્વીક ભાઈ મકવાણા, શ્રી ચંદ્રિકાબેન ચુડાસમા પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ગુજરાત કોંગ્રેસ ઓબીસી વિભાગ પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ શ્રી મહેશ રાજપૂત તેમજ રાજેશભાઈ આહીર, શ્રી ગાયત્રીબા વાઘેલા, શ્રી હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts