રાષ્ટ્રીય

EWC અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર,૫ જજની બેન્ચે ૩ઃ૨ થી આપ્યો ચુકાદો

સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામતની જાેગવાઈ (ઈઉજી અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. ૫ જજાેની બેંચમાંથી ૩ જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે ઝ્રત્નૈં એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે જીઝ્ર/જી્‌/ર્ંમ્ઝ્ર સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આથી આ ચુકાદો ૩ઃ૨ થી આવ્યો કહી શકાશે. શું માની શકો કે ૫ જજની બેન્ચે ૩ઃ૨ થી આપ્યો ચુકાદો?…આ કેસમાં ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે ચુકાદો આપ્યો. જસ્ટિસ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ અનામતનું સમર્થન કર્યું છે. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ તેના વિરુદ્ધમાં છે. વાત જાણે એમ છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત આપવા માટે બંધારણમાં ૧૦૩મું સંશોધન કર્યું હતું.

પરંતુ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં ૪૦થી વધુ અરજીઓ દાખલ થઈ હતી. આ જજે શું કહ્યું તે જાણો… જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે સવાલ મોટો હતો કે શું ઈઉજી અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે? શું તેનાથી જીઝ્ર /જી્‌/ ર્ંહ્વઝ્ર ને બહાર રાખવા એ મૂળ ભાવના વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે ઈઉજી કોટા બંધારણનો ભંગ કરતું નથી. ઈઉજી અનામત યોગ્ય છે. તે બંધારણની કોઈ જાેગવાઈનો ભંગ કરતું નથી. તે ભારતના બંધારણના પાયાના માળખાનો ભંગ કરતું નથી. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે મે જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય પર સહમતિ જતાવી છે. એટલે કે તેઓ પણ ઈઉજી અનામતને મૂળ અધિકારનું હનન ગણતા નથી. બેલા ત્રિવેદીએ કહ્યું કે ઈઉજી કેટેગરી વ્યાજબી કેટેગરી છે. આર્થિક રીતે વંચિત તબક્કાને આગળ લઈ જવો એ સરકારની જવાબદારી છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે ૧૦૩માં બંધારણ સંશોધનની બંધારણીય માન્યતાને યથાવત રાખુ છું. તેમાં જીઝ્ર/જી્‌/ર્ંમ્ઝ્ર કેટેગરીને બહાર રાખવી એ ભેદભાવપૂર્ણ કહી શકાય નહીં. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ૭૫ વર્ષ બાદ આ સમીક્ષાની જરૂર છે કે અનામતથી શું ફાયદો થયો. જ્યારે જસ્ટિસ રવિન્દ્ર ભટનો મત અલગ છે. તેમણે કહ્યું કે જીઝ્ર /જી્‌/ર્ંમ્ઝ્ર ને ઈઉજી અનામતના દાયરામાંથી બહાર રાખવું ભેદભાવપૂર્ણ છે.

ઝ્રત્નૈં એ પણ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે જીઝ્ર/જી્‌/ર્ંમ્ઝ્ર સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આમ આ રીતે ચુકાદો ૩ઃ૨ ના બહુમતથી આવ્યો ગણાશે. શું છે આ ઈઉજી કોટા? તે જાણો?… કેન્દ્ર સરકાર જાન્યુઆરી ૨૦૧૯માં બંધારણમાં ૧૦૩મું સંશોધન લઈને આવી હતી. જેમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાની જાેગવાઈ કરવામાં આવી છે. કાયદા હેઠળ અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધુ હોવી જાેઈએ નહીં. દેશમાં હાલ જાેઈ તો એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળે છે તે ૫૦ ટકાની મર્યાદાની અંદર જ મળે છે. પરંતુ સામાન્ય વર્ગનું ૧૦ ટકા અનામતનો કોટા આ ૫૦ ટકાની મર્યાદાની બહાર છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ૪૦થી વધુ અરજીઓ દાખલ થઈ હતી. કોર્ટે ૨૭ સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Related Posts