ગુજરાત

ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને ૨,૪૭,૭૮૯ ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે

ગુજરાત તુવેર અને ચણાની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે ૧૧૬૩ અને ૧૬૯૯ કિગ્રા સાથે ટોચના સ્થાને, મગ અને અડદની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે ૮૧૦ અને ૭૨૧ કિગ્રા સાથે પાંચમા ક્રમેરાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે. એપ્રિલ ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાંખીએ, તો ગુજરાતે કઠોળ, ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્‌સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (છઁઈડ્ઢછ) ના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ૨,૪૭,૭૮૯ ટન કઠોળની નિકાસ થઈ છે, જે ગત વર્ષ કરતા બમણી છે. નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે, જેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં ૧૦ ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટ સત્રમાં તુવેર, અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં આર્ત્મનિભરતાને પ્રાથમિકતા આપી છે, તેમજ કઠોળના ઉત્પાદનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. મુખ્યમમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે કઠોળના ઉત્પાદનમાં એક મુખ્ય યોગદાનકર્તા રાજ્ય તરીકે ઉભર્યું છે, અને આ મહત્વપૂર્ણ ક્ષેત્રે દેશની આર્ત્મનિભરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

કઠોળના ઉત્પાદનમાં ગુજરાતનો નોંધપાત્ર વિકાસ
તુવેર અને ચણાના અનુક્રમે ૧૧૬૩ કિગ્રા પ્રતિ હેક્ટર અને ૧૬૯૯ કિગ્રા પ્રતિ હેક્ટરના ઉત્પાદન સાથે ગુજરાત આ બંને કઠોળના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, મગ અને અડદની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે, જેમાં મગનું ઉત્પાદન ૮૧૦ કિગ્રા પ્રતિ હેક્ટર અને અડદનું ઉત્પાદન ૭૨૧ કિગ્રા પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં ચણા, મગ, અડદ, મઠ, તુવેર, ચોળા, વાલ, વટાણા વગેરે જેવા વિવિધ પ્રકારના કઠોળનું વાવેતર થાય છે.
ભારત સરકારના આર્ત્મનિભર ભારત મિશન અંતર્ગત, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કઠોળના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. કઠોળ હેઠળનો કુલ વિસ્તાર ૨૦૧૮-૧૯ માં ૬.૬૨ લાખ હેક્ટરથી વધીને ૨૦૨૨-૨૩ માં ૧૩.૧૦ લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે, કઠોળના ઉત્પાદનમાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે, એટલે કે ઉત્પાદન ૨૦૧૮-૧૯ માં ૬.૭૯ લાખ મેટ્રિક ટનથી વધીને ૨૦૨૨-૨૩ માં ૧૮.૧૧ લાખ મેટ્રિક ટન થયું છે, જેમાં ચણા, મગ, મઠ અને અડદના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ જાેવા મળી છે. ખાલી ચણાના જ વાવેતર અને ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ જાેવા મળી છે. ચણાનો વાવેતર વિસ્તાર ૨૦૧૮-૧૯માં ૧.૭૩ લાખ હેક્ટરથી વધીને ૨૦૨૨-૨૩માં ૭.૬૪ લાખ હેક્ટર થયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્પાદન ૨.૩૫ લાખ મેટ્રિક ટનથી વધીને ૧૨.૯૮ લાખ મેટ્રિક ટન થયું છે.

ખેડૂતોની આવકમાં વધારો અને જીવનધોરણમાં સુધારો
વર્ષ ૨૦૨૦-૨૧થી કઠોળના મુખ્ય પાકોના લઘુતમ ટેકાના ભાવો (સ્જીઁ)માં સતત વધારો થઈ રહ્યો છે, જેમકે, તુવેર (૨૬%), મગ (૨૧%), અડદ (૨૩%), ચણા (૧૧%) અને મસૂર (૩૧%), જેના કારણે ખેડૂતોની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, કઠોળના પાકો જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધી છે. તેના કારણે નાઇટ્રોજન ખાતર પરની ર્નિભરતા અને તેના ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો છે. કઠોળના ઉત્પાદનમાં થયેલા આ વધારાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે જ તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ લાભોથી પ્રોત્સાહિત થઇને વધુ ને વધુ ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.

કઠોળ પાકોના ઉત્પાદન માટે ખેડૂતોને મળતી સહાય યોજનાઓ
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (દ્ગહ્લજીસ્) ચણા, મગ, તુવેર અને અડદ જેવા કઠોળ પાક માટે આવશ્યક સહાય પૂરી પાડે છે. આ પહેલ દ્વારા ખેડૂતોને પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવે છે, સહાયિત દરે ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે અને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે, જે પાકની ઉત્પાદકતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. ઉપજમાં વધુ વધારો કરવા માટે, રાજ્ય સરકારે બીજ રિપ્લેસમેન્ટ રેટ (જીઇઇ) યોજના લાગુ કરી છે, જેનાથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રમાણિત બીજ મળે છે, જેનાથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે અને વધુ સારું વળતર મળે છે. જ્યારે બજારભાવો લઘુતમ ટેકાના ભાવો (સ્જીઁ)થી નીચે જાય ત્યારે, કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નોડલ એજન્સી ટેકાના ભાવની યોજના (ઁજીજી) દ્વારા ખેડૂતો પાસેથી આવા ગુણવત્તાયુક્ત પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી કરે છે, જેનાથી તેમની આવકનું રક્ષણ થાય છે અને બજારના ભાવોની વધઘટ વચ્ચે ખેડૂતોને નાણાકીય સ્થિરતા મળે છે.

કઠોળનું ઉત્પાદન વધારવામાં સિંચાઇ યોજનાઓની અસર
ગુજરાતની સિંચાઈ યોજનાઓ અને પહેલોએ કઠોળના ઉત્પાદનમાં થયેલા વધારામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૨૪-૨૫ સુધી ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ સ્પ્રિન્કલર પદ્ધતિ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ તકનીકોના ઉપયોગ દ્વારા ૨૪,૧૩,૯૪૫ હેક્ટર જમીનને સિંચાઇ હેઠળ લાવવામાં આવી છે. સિંચાઇ માળખાના આ વિસ્તરણથી માત્ર કઠોળના વાવેતર માટે સમર્પિત વિસ્તારમાં જ વધારો નથી થયો, પરંતુ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર સુધારો થયો.

કઠોળની ખેતીમાં આધુનિક તકનીકો અને નવીનીકરણ
ખેડૂતો ઉત્પાદકતા વધારવા માટે આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. યાંત્રિકીકરણ, સુધારેલી હાઇબ્રિડ જાતો, પ્રમાણિત બીજ અને અદ્યતન બીજ સારવાર તકનીકો ઉપજ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સિંચાઇ માટે ટપક પિયત અને સ્પ્રિંકલર પદ્ધતિ જેવી કાર્યક્ષમ સિંચાઇ પદ્ધતિઓ, જૈવિક ખાતરોનો ઉપયોગ, મિશ્ર અને આંતરપાક પદ્ધતિ તેમજ પાકની ફેરબદલી જેવી પદ્ધતિઓ કાર્યક્ષમતા અને સંસાધનોના વ્યવસ્થાપનમાં વધુ વધારો કરે છે. થ્રેશર્સ, કમ્બાઈન હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને ગ્રેડર સહિતના યાંત્રિક સાધનોના એકીકરણથી ખેતીની કામગીરી સુવ્યવસ્થિત થઈ છે, ખેડૂતોની મજૂરી ઓછી થઈ છે અને કાર્યક્ષમતા વધી છે. આ ઉપરાંત, સંકલિત ખેતી અને પ્રાકૃતિક ખેતી જેવા નવીન અભિગમોએ પણ કઠોળના ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

Related Posts