રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી‘માં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કરવામાં કાસ્ટ
બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી‘માં હવે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કાસ્ટ કરવામાં આવી છે એટલે હવે જાનકી રાણી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જાેવા મળશે.
ગુજરાતની અભિનેત્રી જાનકી બોડીવાલાએ અગાઉ અજય દેવગણની ‘શૈતાન‘ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં તેની ભૂમિકાની પ્રશંસા થઈ હતી.
આ ફિલ્મ મૂળ ગુજરાતી ‘વશ‘ પરથી બની હતી અને તેની હિન્દી રીમેક વખતે જાનકીને પણ રીપિટ કરાઈ હતી. રાણી મુખર્જીની ‘મર્દાની ‘ ૨૦૧૪માં રીલિઝ થઈ હતી. તે પછી પાંચ વર્ષ બાદ ‘મર્દાની ટૂ‘ રીલિઝ થઈ હતી. બંને ભાગને સારો રિસ્પોન્સ મળ્યા બાદ હવે લાંબા સમય પછી ‘મર્દાની થ્રી‘ નું શૂટિંગ શરૂ થવાનું છે.
Recent Comments