અમરેલી

અમરેલી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક મેળવે છે બાગાયતી પાકમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ કેસર કેરીનું ખેડૂતો ઉત્પાદન મેળવે છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામના યુવા ખેડૂતે 900 ગ્રામની કેરીનું ઉત્પાદન મેળવ્યું છે.

વિજયભાઈ લુણસરે જણાવ્યું કે પોતાની પાસે ૭૨ વીઘા જમીન છે જેમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે કેસર કેરીનું વાવેતર છે ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં આવે છે ચાલો સિઝનમાં સારું એવું પાક ઉત્પાદન મળ્યું છે 1500 રૂપિયાનું 10 કિલો નો બોક્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

વિજયભાઈ વધુમાં જણાવ્યું કે અલગ અલગ વેરાઈટીની કેસર કેરીનું વાવેતર છે જમ્બો કેસર છે રેગ્યુલર કેસર છે તેમજ અન્ય વેરાઈટીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં 700 ગ્રામથી 900 ગ્રામ સુધીની કેરી નો વજન મળી રહે છે એક કિલો સુધી પણ કેસર કેરી જંબોમાં જોવા મળે છે.

વિજયભાઈ વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન કરે છે પરંતુ પોતે જે કેસર કેરીનું ઉત્પાદન કરે છે જેમાં 100% ઓર્ગેનિક રીતે બહારથી કોઈપણ પ્રકારનું ખાતર ખેતરમાં નાખવામાં આવતું નથી ખેતરમાં ઉગતું તમામ ઘાસને કટર વડે જમીનમાં ભેળવી દેવામાં આવે છે અન્ય કોઈપણ પ્રકારનું ખાતર નાખવામાં આવતું નથી જેથી કેરીના સ્વાદમાં ખૂબ જ તફાવત મળે છે અન્ય ખેડૂતોના કેસર કેરી અને પોતાની કેસર કેરીમાં મીઠાશ અને કલરમાં તફાવત પડે છે

Related Posts