મત્સ્ય ખેડૂતોને મળી રહ્યો છે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ

અમરેલી તા.૦૩ જાન્યુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) અમરેલી જિલ્લો એ ૬૨ કિમી સહિત ગુજરાત રાજ્ય એ ૧,૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ મળી ૪ મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે.અમરેલી જિલ્લાનું જાફરાબાદ બંદર, એ તેની ‘બોમ્બે ડક’ (બુમલા) માછલીની માછીમારી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. માછીમારી માટે મહત્વ ધરાવતા અમરેલી જિલ્લાના માછીમારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.જિલ્લાના જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો-ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી ૧,૮૪૦ જેટલી માછીમારી બોટ નોંધાયેલી છે.
અમરેલી જિલ્લામાં ૩૩ જળાશયો છે, જેમાં સરકારના પ્રર્વતમાન નિયમો અનુસાર ઈજારા પેટે આપવામાં આવે છે. ડીઝલ વેટ રાત યોજના તળે ૧,૦૪૭ લાભાર્થી માછીમાર બોટ માલિકોને મહત્તમ રુ.૧૫ પ્રતિ લીટર વેટ રાહત ચૂકવવામાં આવી છે.કેરોસિન વેટ રાહત યોજના અંતર્ગત ૧૧૦ માછીમારોને રુ.૬.૪૦ લાખની વેટ રાહત ચૂકવવામાં આવી છે. મત્સ્યદ્યોગ ખાતા દ્વારા માછીમારોને વિવિધ પ્રકારની યોજનાકીય સહાયનું ચૂકવણું કરવામાં આવે છે. પગડીયા સહાય, જી.પી.એસ સહાય, નવા એન્જીન ખરીદવા, નવા આઈસ પ્લાન્ટ, માછલી સપ્લાય કરવા રેફ્રરીજરેટેડ વાન, ઓબીએમ/આઈબીએમ, પોલી પ્રોપોલીન રોપ, જમ્બો પ્લાસ્ટીક ક્રેટ, લાઈફ સેવિંગ જેકેટ અને ડીપ ફ્રીઝર જેવી વિવિધ યોજનાઓમાં ૨૭ માછીમારી બોટોને રુ.૨૦.૩૩ લાખની સહાય નવેમ્બર-૨૦૨૪ સુધી ચૂકવવામાં આવી છે.પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ઈન્સ્યુલેટેડ વાન, બોટ અપગ્રેડેશન તથા આઈસ પ્લાન્ટ સ્થાપના અન્વયે ૩ લાભાર્થીઓને રુ.૦૧.૯૩ લાખની સહાય ચુકવવામાં આવી છે.પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ સ્વરુપે વર્ષઃ૨૦૨૪-૨૫ માં ૧૩૦ માછીમાર બોટ માલિકોને રુ.૭૫૮.૪૦ લાખની લોન મંજૂર કરવામાં આવી છે.
PMMSY માછીમાર જૂથ અકસ્માત યોજના અતર્ગત ૦૫ મૃત્તક માછીમારના વારસદારોને રુ.૨૫.૦૦ લાખની સહાય ચુકવવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં માછીમાર વિવિધ સહાય પૈકી રુ.૮૧૮.૨૩ લાખની સહાય રાજય સરકારના મત્સ્યોદ્યોગ ખાતા મારફત નવેમ્બર-૨૦૨૪ સુધી મંજૂર કરવામાં આવી છે.તાઉતે વાવાઝોડા દરમ્યાન મત્સ્ય બંદરો ઉપર મોટા પ્રમાણમાં નુકશાન થયું હતુ. જે અનુસંધાને જાફરાબાદ ખાતે જેટીના સમારકામ તથા નવી જટીના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા રુ.૧૧.૪૦ કરોડના ખર્ચે કામગીરી પ્રગતિ તળે છે.જયારે શિયાળબેટની જેટી અને બોટ પાર્કીંગ વ્યવસ્થા માટેની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના ૧૦ મોટા બંદરોમાં જાફરાબાદબંદરનો સમાવેશ કરવામાં આવે છે.મત્સ્યોદ્યોગની વિવિધ સહાય મેળવવા માટે માછીમારોએ મત્સ્યોદ્યોગના વિવિઘ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાથી સહાયની રકમ માછીમારોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવી રહી છે.હાલ મત્સ્યોદ્યોગ દ્વારા માછીમારોને આપવામાં આવતા ફિશીંગમાં જવાના ટોકન, ડીઝલ સબસીડી તથા માછીમારીમાં ઉપયોગી સાધનોની સહાય તથા ફિશીંગ બોટના રજિસ્ટ્રેશન, લાયસન્સ જેવી તમામ સુવિધાઓ ઓનલાઈન માઘ્યમથી માછીમારોને પૂરી પાડવામાં આવી રહી છે.
Recent Comments