અમરેલી

સાવરકુંડલાના વાસિયાળી ગામે વન કર્મીઑ અને ગ્રામજનોએ પ્લાસ્ટિક સહિત વિવિધ કચરો એકત્ર કર્યો

વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને અમરેલી જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે વિશેષ જનજાગૃત્તિ  અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરુપે જિલ્લાના સાવરકુંડલાના વાસિયાળી ગામે વન વિભાગના કર્મીશ્રીઓની સાથે ગ્રામજનોએ જોડાઈને જાહેર સ્થળો અને માર્ગો ઉપરના વેસ્ટ પ્લાસ્ટિકનું એકત્રીકરણ કરીપ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ વિસ્તારોમાં જરુરી સાફસફાઈ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કેવિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૫ નિમિત્તે તા.૨૨ મે થી તા.૫ જૂન સુધી  “Ending Plastic Pollution Globally” થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમવન વિભાગ દ્વારા ગ્રામ્ય સ્તરે પણ પ્લાસ્ટિકના વપરાશ ટાળવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related Posts