તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે. શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન મળ્યું છે. આ દાન માટે દાતાઓને પ્રોત્સાહિત કરનાર શિક્ષક નરેશભાઈ બારૈયા તેમજ શિક્ષણ પ્રેમી દાતાઓનો શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસ તેમજ એસએમસી અધ્યક્ષ હરુભા રાણાએ આભાર વ્યક્ત કર્યો હતો.
તળાજા ની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ થયું

Recent Comments