G-૨૦ બેઠકમાં G-૭ દેશોએ રશિયા સાથે તીવ્ર મતભેદોને કારણે ‘ગ્રૂપ ફોટો’માં હાજરીનો ઇનકાર કરી દીધો
ભારતની યજમાનીમાં ચાલી રહેલી ય્-૨૦ બેઠકમાં ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપ ઓફ સેવન (ય્-૭) દેશોએ રશિયા સાથે તીવ્ર મતભેદોને કારણે ‘ગ્રૂપ ફોટો’માં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અગાઉ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મહત્વના દેશોના વિદેશ પ્રધાનોએ યુક્રેન મુદ્દે મતભેદોને કારણે વ્યક્તિગત કારણોને ટાંકીને બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. દ્ગડ્ઢ્ફના અહેવાલ મુજબ જાે માનવામાં આવે તો, દિલ્હીમાં ચાલી રહેલી ય્-૨૦ બેઠકમાં ભાગ લઈ રહેલા સમૂહના સાત દેશોના વિદેશ મંત્રીઓ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે ફોટોફ્રેમ શેર કરવા તૈયાર થયા નથી. આ સતત બીજી વખત છે જ્યારે ય્-૨૦ વિદેશ મંત્રીઓની બેઠકમાં પરંપરાગત ફોટો સેશન યોજવામાં આવશે નહીં.
G-૭ દેશોમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં ચાલી રહેલા રશિયન હુમલા અને રશિયા સાથેના તીવ્ર મતભેદોને કારણે ય્-૭એ આ ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ય્-૭ દેશોએ ર્નિણય લીધો છે કે તેઓ જ્યારે ય્-૨૦ સત્રને સંબોધિત કરશે ત્યારે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવનો બહિષ્કાર નહીં કરે. તેના બદલે તેના મંત્રીઓ તે સત્રો દરમિયાન ત્યાં જ રહેશે પરંતુ જૂથ ફોટામાં ભાગ ન લઈને રશિયાને અલગ કરવા તરફનો તેમનું વલણ વ્યક્ત કરશે.
આ અગાઉ ૨૦૨૨માં ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત ય્-૨૦ સંમેલનમાં ય્-૭ દેશોના વિદેશ પ્રધાનોએ ગ્રૂપ ફોટામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની જગ્યાએ રશિયાના વિદેશ પ્રધાન લવરોવ સમિટમાં હાજરી આપવા છતાં ઈન્ડોનેશિયામાં સમગ્ર સમિટ દરમિયાન એક પણ ફેમિલી ફોટો સેશન નહોતું થયું. શું વિદેશ મંત્રી એસ જયશંકરે આ સ્પષ્ટ વાત કહી?.. તે જાણો કઈ છે આ વાત.. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે જી-૨૦ બેઠકો પર ભૌગોલિક રાજકીય તણાવની અસર પડી છે.
તેમણે કહ્યું, “આ બેઠકો ભૂ-રાજકીય તણાવથી પ્રભાવિત હતી. પીએમ મોદીએ વિનંતી કરી છે કે જેઓ બેઠક દરમિયાન રૂમમાં ન હતા તેમના પ્રત્યે અમારી પણ જવાબદારી છે. આપણે બધાએ ભારતની સભ્યતામાંથી પ્રેરણા લેવી જાેઈએ.” શું રશિયાના વિદેશ મંત્રીએ પીએમ મોદીના વખાણ કર્યા?.. તે જાણો.. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું, “પીએમ મોદીએ વિશ્વભરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. મોદી માત્ર અમુક ચોક્કસ પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યા ન હતા કારણ કે પશ્ચિમી દેશો ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પીએમ મોદીએ મોટા વૈશ્વિક પરિદ્રશ્યમાં મૂલ્યાંકન રજૂ કર્યું છે. ” પ્રેસને સંબોધતા સર્ગેઈ લવરોવે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની ખૂબ જ જરૂર છે.
યુક્રેન સાથેના યુદ્ધ અંગે તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં દરેક દેશે બીજા દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જાેઈએ. સર્ગેઈ લવરોવે કહ્યું કે પશ્ચિમી દેશો ઘણા વર્ષોથી આ યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા. એટલા માટે તે યુક્રેનને હથિયાર આપી રહ્યા છે. શું દક્ષિણ કોરિયા અને જાપાનના વિદેશ મંત્રીઓએ હાજરી આપી ન હતી?.. તે જાણો.. દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન સ્થાનિક જવાબદારીઓને કારણે ય્-૨૦ વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા નથી. આ સિવાય જાપાનના વિદેશ મંત્રીએ પણ જી-૨૦ બેઠકને બદલે સંસદીય કામકાજને પ્રાથમિકતા આપતા ભારત આવવાનો ઈન્કાર કરી દીધો છે. આ બેઠકમાં જાપાન તરફથી નાયબ વિદેશ મંત્રી ભાગ લઈ રહ્યા છે.
શું ભારત પર રાજદ્વારી દબાણ છે?.. તે જાણો.. ગયા અઠવાડિયે, બેંગલુરુમાં નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક યુક્રેનના મુદ્દા પર મતભેદને કારણે સંયુક્ત નિવેદન જારી કરવામાં નિષ્ફળ રહી હતી. દિલ્હીમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ યુક્રેનનો મુદ્દો છવાયેલો છે. અગાઉની બેઠકમાં સંયુક્ત નિવેદન જારી ન થવાને કારણે ભારત પર આ બેઠકમાં સમજૂતી કર્યા બાદ સંયુક્ત નિવેદન જારી કરવા માટે ઘણું દબાણ છે. શું સંયુક્ત નિવેદન જારી કરી શકાયું નથી?.. તે જાણો.. ગયા અઠવાડિયે બેંગલુરુમાં ય્-૨૦ બેઠકમાં સંયુક્ત નિવેદનમાં, રશિયા અને ચીને રશિયન યુદ્ધ સાથે સંબંધિત બે ફકરા પર વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે સંયુક્ત નિવેદન જારી કરી શકાયું નથી. ચીને સંયુક્ત નિવેદનના ભાગ સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં રશિયાના હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી.
Recent Comments