અમરેલી

દામનગર સેવા સહકારી મંડળી સ્થાપનાને ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી

દામનગર શહેર માં સને ૧૯૫૧ માં સ્થપાયેલ શ્રી દામનગર સેવા સહકારી મંડળી ને ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ઇફકો એન સી યુ આઇ ગુજકોમાસોલ ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ની અધ્યક્ષતા માં ઉજવાયો દામનગર સેવા સહકારી મંડળી ના સ્વર્ગીય સ્થાપક કેશવભાઈ કાળાભાઈ નારોલા સહિત ૨૦ જેટલા આદ્યસ્થાપક ડિરેક્ટરો નું મરણોત્તર સન્માન સ્વીકારતા ત્રીજી અને ચોથી પેઢી સંતાનો ભાવાત્મક બન્યા ખેડૂતો માટે ૭૫ વર્ષ પહેલાં આધારશીલા સમી દામનગર સેવા સહકારી મંડળી ઉભી કરી ભાવિ પેઢી ના ઉજળા ભવિષ્ય માટે દુરંદેશી પૂર્વક સહકારી સંસ્થા નું મહત્વ જાણતા આદ્ય સ્થાપક અગ્રણી ઓની દુરોગામી દ્રષ્ટિ એ ઓડિટ વર્ગ “અ” ૬૫૧ સભાસદ સંખ્યા ખેડૂત લક્ષી અનેક યોજના આયોજન ઉપરાંત શહેરભર માં વિવિધ સુવિધા પ્રાથમિક શાળા નિર્માણ શ્રી વેજનાથ મહાદેવ સર્કલ બસ સ્ટેન્ડ સરકાર ચોક સર્કલ એમ્બ્યુલન્સ બાંકડા શ્રી કુંભનાથ મહાદેવ સર્કલ જેવી લોકભોગ્ય વ્યવસ્થા સાથે રાજ્ય કક્ષા એ અનેક પરિતોષકો દ્વારા સન્માનિત દામનગર સેવા સહકારી મંડળી ના અમૃત મહોત્સવ માં સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણી અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જયતિભાઈ પાનસૂરિયા સહકારી યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી વરાછા બેંક ના ભવાનભાઈ નવાપરા અમરેલી સાંસદ ભરતભાઇ સુતરિયા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પૂર્વ સાંસદ નારણભાઇ કાછડીયા દીપકભાઈ માલાણી પૂર્વ રેન્જ આઈ જી હરીકૃષ્ણ પટેલ મહિલા અગ્રણી જેનિબેન ઠૂંમર જિલ્લા મધ્યસ્થ બેંક ના કોઠીયા માધવરાય સવાણી માનવ સેવા ટ્રસ્ટ ના બી એલ રાજપરા અમરેલી જિલ્લા બેંક ના ડિરેકટર હીરાભાઈ નવાપરા પૂર્વ માર્કેટયાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા સહિત દામનગર શહેર ના સહકારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ઓના અગ્રણી દામનગર આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં શ્રી દામનગર સેવા સહકારી મંડળી નો અમૃત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો કૃષિ ક્ષેત્ર સશક્ત બને ગ્રામીણ અર્થતંત્ર માં મહત્વ ના પરિબળ સહકારી પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી ઉત્થાન આત્મનિર્ભર તરફ દોરી જતા સહકારી ક્ષેત્ર ની અનેક સિદ્ધિ ઓથી સર્વ ને અવગત કરતા ચેરમેન હરજીભાઈ નારોલા એ  સને ૧૯૫૧ ના સ્થાપના કાળ થી વર્તમાન સુધી દામનગર સેવા સહકારી મંડળી સિદ્ધિ ઓ સેવા સમર્પણ નો સિતાર આપ્યો હતો સહકારી પ્રવૃત્તિ એ વિશ્વાસ અને ભરોસા ની પ્રવૃત્તિ છે સહકારી પ્રવૃત્તિ ના સથવારે સમાજ ને વિકસિત દીક્ષિત અને સંગઠિત બનાવી સહકાર ની ભાવના ને પ્રોત્સાહન આપવા થી સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ થશે સમગ્ર પંથક માંથી સહકારી અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે દામનગર સેવા સહકારી મંડળી નો ભવ્ય અને દિવ્ય અમૃત મહોત્સવ ઉજવાયો હતો દામનગર સેવા સહકારી મંડળી ના પ્રમુખ હરજીભાઈ નારોલા ઉપ પ્રમુખ રણછોડભાઈ બોખા મંત્રી લાલજીભાઈ નારોલા સદસ્ય લાભુભાઈ નારોલા મનસુખભાઇ બોખા અરજણભાઈ નારોલા વલ્લભભાઈ નારોલા કરમશીભાઈ કાસોદરિયા ભીમજીભાઈ નારોલા પ્રકાશભાઈ આસોદરિયા ભીમજીભાઈ વાવડીયા મોહનભાઇ બુધેલીયા પ્રીતેશભાઈ નારોલા શારદાબેન નારોલા હંસાબેન નારોલા સહિત કર્મચારી અનિલભાઈ જાગાણી દિનેશભાઈ પટેલ જયભાઈ નારોલા સીરાજભાઈ ભારમલ સહિત સમગ્ર દામનગર સેવા સહકારી મંડળી પરિવાર દ્વારા ના અદભુત આયોજન  થી દામનગર સેવા સહકારી મંડળી ના ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ની ભવ્ય ઉજવણી હતી 

Related Posts