અમરેલી

લાઠી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજી પ્રાગટય પર્વ ની ભવ્ય ઉજવણી

લાઠી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજી પ્રાગટય પર્વ ની ભવ્ય ઉજવણી લાઠી બ્રહ્મ સમાજ અક્ષરવાડી લાઠી ખાતે ભગવાન પરશુરામજી ના પ્રાગટય પર્વ એ કાશ્મીર પહેલગામ ના ૨૮ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળીને શોક વ્યક્ત કરેલ બ્રહ્મસમાજ સભાનું પ્રમુખ સ્થાન ડો મુકેશભાઈ આર ત્રિવેદી ના ઉપસ્થિતિ સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું સ્વાગત પ્રવચન જનકભાઈ શર્મા અને અરુણ દાદા શુક્લ કાયદાવિંદ આર.સી.દવે સંગીતકાર બાલિભાઈ (નિલેશભાઇ)પંડ્યા ની હાજરી સભા સંચાલન વિજયભાઈ પંડ્યા એ કરેલ હતું આભાર દર્શન ડો.મુકેશભાઈ ત્રિવેદી દ્વારા કરાયું હતુ ભગવાન શ્રી પરશુરામજી પ્રાગટય પર્વ એ મૃતકો ને બ્રાહ્મણો દ્વારા એકાદશી નું પુણ્ય આપવા આહવાન કરાયું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા બ્રહ્મસમાજ અગ્રણી ઓ યુવાનો ભરતભાઈ શુક્લ મંત્રી હેમંતભાઈ શુક્લ હસુભાઈ વ્યાસ જયેશભાઈ જોશી મનીષભાઈ શુક્લ જહેમત ઉઠાવી હતી વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ ધર્મ સભર વાતાવરણ સર્જી દેતા માનનીય અરુણ દાદા ઉત્સવ નો મહિમા દર્શાવ્યો હતો એડવોકેટ આર સી દવે, દ્વારા પ્રાસંગિક ઉદબોદન અપાયું હતું કિર્તીભાઈ જી પટેલ દ્વારા આઈસ્ક્રીમ સેવાનો પ્રાપ્ત થઈ હતી

આ પ્રસંગે લાઠીના ડોક્ટર ચંદ્રકાંતભાઈ જોશી એ પણ હાજરી આપેલ હતી લાઠી નો બ્રહ્મસમાજ નાનો હોવા છતાં એકયતા ભાતૃપ્રેમ અને અખંડિતતા ના દર્શનીય નજારા વચ્ચે ભગવાન પરશુરામજી ના પ્રાગટય પર્વ ની રંગારંગ ઉજવણી કરાય હતું 

Related Posts