અમરેલી

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમરેલી દ્વારા ખાંભાના ડેડાણ મુકામે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમરેલી દ્વારા ખાંભાના ડેડાણ મુકામે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસનું આયોજન મુક્તાનંદ બાપુ આશ્રમના પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાંભા તાલુકાના જીવાપર, કંટાળા, સરકડીયા મોટા, ભાવરડી, ત્રાકુડા, બોરાળા ગામના કુલ મળી ૨૩૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત કરી હતી.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ ઝીડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સતત પ્રયત્નશીલ છે. જિલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ અન્વયે પ્રાકૃતિક બોર્ડના માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ચાવડા અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર શ્રી ઉર્વશીબેન ગજેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts