ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તા.૨૪ ફેબ્રુઆરીએ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

અમરેલી તા.૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ (ગુરુવાર) ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ને સોમવારના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં. ૦૧, અમરેલી અને તેના નિયંત્રણ હેઠળની અમરેલી, ધારી, રાજુલા, બાબરા, લીલીયા, સાવરકુંડલા પેટા વિભાગીય કચેરીમાં એપ્રેન્ટીસ તરીકેની નિમણૂક આપવા માટે આ ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળો તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં.૦૧, લાઠી રોડ, એસ.ટી. ડીવિઝન પાછળ, સરસ્વતી સ્કુલ સામે અમરેલી ખાતે યોજાશે.
ભરતી મેળામાં સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, બી.એ, બી.કોમ, બી.બી.એ, આઈ.ટી.આઈ. બે વર્ષના ટ્રેડમાંથી ફિટર, પ્લમ્બર, ડ્રાફ્ટમેન, ઇલેક્ટ્રિશિયનની શૈક્ષણિક લાયકાત ધરાવતા વર્ષ ૨૦૨૨, ૨૦૨૩,૨૦૨૪માં પાસ આઉટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ડિગ્રી, ડિપ્લોમા, આઇ.ટી.આઇ, અન્ય ગ્રેજ્યુએટ ઉમેદવારોએ NATS/SKILL INDIA/ MHRD/MSME પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો GWSSB વેબસાઇટ અને WS પોર્ટલ પરથી મેળવી શકાશે, તેમ અમરેલી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં.૦૧ના કાર્યપાલક ઇજનેરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments