બી.આર.સી ભવન, અમરેલી ખાતે જ્ઞાન સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સમગ્ર જિલ્લામાં ૪૩૩ જ્ઞાન સહાયકોને કરાર આધારિત નિમણૂક આપવામાં આવી હતી.
આ કેમ્પમાં શિક્ષણ સમિતિ, અમરેલીના ચેરપર્સન શ્રીમતિ રમીલાબેન ધોરાજીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી-વ-જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી મિયાણી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.જી સોલંકી, અગ્રણીશ્રી ભીખાભાઈ ધોરાજીયા, શ્રી જીગ્નેશભાઈ સાવજ, પ્રાથમિક શૈક્ષણિક સંઘ અમરેલીના પ્રમુખશ્રી વિજયભાઈ મકવાણા, પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રીશ્રી રસિકભાઈ મહેતા, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખશ્રી રજનીભાઈ મકવાણા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશભાઈ પાનસુરીયાએ કર્યુ હતું, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments