અમરેલી

હર ઘર તિરંગા અભિયાન, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી કલાત્મક રંગોળી બનાવી

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દામનગર સ્થિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ અને રાજુલાના ભેરાઈ સ્થિત સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ બનાવી હતી.

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓએ  રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મક શક્તિને ઉજાગર કરી હતી અને તિરંગાની થીમને ધ્યાને રાખી દર્શનીય રંગોળીઓ બનાવી હતી.

Related Posts